SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પણ કરવા આવે અને કઈ પૂજવા પણ આવે. હિંન્નપશુઓ પણ આવે અને ગાયે પણ આવે ને અંગ ચાલ્યા કરે. કોઈ કાનમાં ખીલીઓ પણ નાખે અને કઈ સેવા શુશ્રુષા પણ કરવા મંડી પડે. આવી પ્રલોભન અને સંકટોની ઝડીમાં તેઓએ મનની સમતા સાધી તથા અહિંસા સંયમ અને તપની ત્રિવેણીરૂપી નગદધર્મ સિદ્ધ કર્યો. ચંડકેશિક જેવા વિષધર સ૫ને એમણે મહાપ્રેમથી વશ કર્યો ત્યારે જ તેઓ વિશ્વવત્સલ બિરુદ પામી શક્યા. મહાવીર જૈનધર્મના ચોવીસમા તીર્થકર કહેવાય છે. પણ એમનું તીર્થ ઋષભનાથના તીર્થ સાથે જ મળતું આવે છે. ઋષભે ગૃહસ્થાશ્રમમાં જગતને ખેતી, શસ્ત્ર અને લેખનવિદ્યાના કમંગને સંદેશ આપ્યો હતે. મહાવીરે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીપુરુષની સમાનતામાં જ સમાજરાજ્ય તથા પ્રજા રાજ્ય એ જ સાચું રાજ્ય એ પુરુષાર્થ સંદેશ આપ્યો હતો. સંન્યાસ લીધા બાદ તેમણે - રાષ્ટ્ર, સમાજ અને વ્યક્તિના પ્રદેશમાં ત્યાગ એ જ સાચે ઉપગ છે. અહિંસા અને પ્રેમનું રાજ્ય જ સંપૂર્ણ સાર્વભૌમત્વ છે. જીવવું હોય તો નાના મોટા જીવજંતુ માત્રને જિવાડતાં શીખે. જીવન અને જગતને ઓળખવું એ જ સાચો ધર્મ છે. નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ બંને સાધન છે આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ બંનેને અરસપરસ સંબંધ છે. બહારનાં વેશ, આશ્રમ કે બીજાં ચિહ્ન એ તો મારા ઓળખાણ પૂરતાં છે. આવું વર્તન કર્યું અને એ વર્તન દ્વારા તેઓએ કેવળજ્ઞાન એટલે કે સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું , એથી જ જૈનધર્મ એ કેવલિ પ્રરૂપિત ધર્મ કહેવાય છે. તત્ત્વમાં સ્વાવાદ અને આચરણમાં સત્યલક્ષી વિવેકપૂર્ણ અહિંસા એ છે જૈનધર્મને સાર. એ જૈનધર્મ જન્મથી નથી મળતે પણ સાધનાથી સાંપડે છે. જેને એ વાડે કે કર્મકાંડ નથી પણ કક્ષા છે. એટલે એમાં ધમંક્રાન્તિને વારંવાર અવકાશ છે. સ્ત્રી, પુરુષ, ગૃહસ્થ, સંન્યાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક, યૂરોપિયન, હિંદી અથવા કહેવાતા મુસ્લિમ કે હિંદુ સૌ અરે ! જનાવર સુધ્ધાં જૈનત્વનાં અધિકારી છે. એવું એ છેલ્લા જિનવરે ચેખે ચેખું કહ્યું છે. માટે જ એ મહાવીર વિશ્વવત્સલ વિશેષણને પાત્ર છે. એમના ધર્મશાસનમાં નંદ નામના દેડકાને પણ સ્વર્ગમાં સ્થાન છે અને માણસ પણ અનીતિને લીધે રાક્ષસ જે હોય તે તેને પણ નરકમાં સ્થાન છે. મહાવીરને નામથી ભજનાર એમનાં આ વચનોને વારંવાર વિચારે–સાચી દષ્ટિથી વિચારે. જીવનવ્યવહારમાં સાચો વિચાર બેડે પાર ઉતારશે. અથવા છેવટે એના જેન તરીકેના મિથ્યા ઘમંડને હાંકી કાઢવામાં તો એ સફળ થશે જ થશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy