SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ રામનું એટલું બધું સ્મરણ થયા કરે છે, એટલી બધી તલ્લીનતા જાગે છે કે જાણે મારું શરીર સ્ત્રી મટીને (રામરૂ૫) પુરુષનું બનતું ન જતું હોય ! તેમ લાગે છે, અને કદાચ હું રામ બની જઈશ તે રામનું શું થશે ?” ત્યારે પેલી કહે છે : તું ચિંતા ના કરીશ. તારું શરીર જ્યારે રામમય બની જશે ત્યારે રામ પણ સીતાની એટલી બધી એકાગ્રતાથી ચિંતન કરે છે કે રામ રામ મટી સીતા બની ગયા હશે ! એટલે રામ–સીતાની જોડી અખંડ જ રહેશે !...” બીજા રામ જે વિશ્વના નાના મોટા પ્રાણીમાત્રમાં બિરાજે છે અને ખાસ કરીને માનવજાતમાં વિશેષે કરી બિરાજે છે તે અંતર્યામી રામ છે. આપણા હૃદયમાં રામ અને રાવણ, ભગવાન અને શેતાન બને બિરાજે છે. અંતરમાંથી બીજાનું ભલું કરવાને, ઊંચે જવાને વિચાર આવે છે તે અવાજ ભગવાનને અવાજ છે પણ કોઈને હેરાન કરવાનો, જૂઠાણું, ચોરી-લૂંટ, વ્યભિચાર કરવાને કે નીચે પાડવાને વિચાર આવે છે તે અવાજ શેતાનને અવાજ છે. શેતાનના અવાજ કરતાં અંતરયામીને અવાજ ખૂબ જોરથી આવે છે, પણ જ્યારે આપણે તેને ગણકારતા નથી ત્યારે તે મંદ પડી જાય છે અને શેતાની અવાજ મનને કબજો લઈ લે છે...અને મન ગયું એટલે ઈદ્રિય એવા જ કામે લાગી જાય છે. ત્રીજા રામ કે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. ગીતાના અગિયારમા અધ્યાયમાં જે વિરાટદર્શનને (વિશ્વરૂપદર્શનને) પ્રસંગ આવે છે તેનાથી આ વસ્તુ સારી રીતે સમજી શકાય છે. સગાં-સંબંધી જડ, ચેતન અને પૃથ્વી ઉપરનાં બધાં દશ્યો સનાતન છે. તેનો કર્તાહર્તા એક ભગવાન છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ. એ ભાવ તારવીને નર બનવાનું છે. ભગવાનને સૃષ્ટિકર્તા આ ભૂમિકામાં માનવાને કારણે માણસને “હું કરું, આ. / મેં ક્યુ એ અહંકાર કુદરતી રીતે દૂર થાય છે. અને ચોથા રામ જે નિરંજન નિરાકાર છે તે છે. આ જગતના કર્તા ઈશ્વર નથી. ઈશ્વર પાપ પુણ્યનો આપનાર ન્યાયાધીશ નથી. વળી, પાપ પુણ્ય પણ તે લેતે હેત નથી. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે, તેથી માણસ મૂંઝાય. છે. અને જન્મમૃત્યુના ચક્રાવોમાં પડે છે. ઝેરને માણસ સાથે વેર નથી, પરંતુ તે કેર પીએ તે તેનું પરિણામ તે આપે છે. એમ કર્માધીન જગત છે. જેવાં કર્મ કરીએ તેવાં જ ફળ મળે છે.” આ સનાતન સત્ય છે. (વિ. તા. ૧-૭-૧૯૭૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy