SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નજીવન નહિ છવું” અને આ ભીષણ સંક૯પને તે જિંદગીભર ટકાવી રાખે છે. ભીષ્મમાં મહાત્યાગની ઉપજેલી આ શક્તિનાં વખાણ કરવાં છે એની પિતૃભક્તિનાં વખાણ કરવાં ? આંતરિક પ્રેમથી એણે બ્રહ્મચર્યને અખંડ નિભાવ્યું. આ બધુંય માત્ર એના સંકલ્પબળને આભારી હતું. અલબત્ત દ્રોણની સાથે ભીમ પણ દુર્યોધનના પક્ષમાં વચન આપીને જઈ બેઠો, તે કારણે એટલી એ પત્રમાં ઝાંખપ લાગે છે, પરંતુ એણે એ પક્ષમાં જવા છતાં પાંડવોના--પોતાના –પર શસ્ત્રપ્રહાર ન કરવાની ટેક સાંગોપાંગ નિભાવી રાખી છે. ભીષ્મ પડે છે, વાં બાણશય્યા પર રહ્યાં રહ્યાં મહાભારતકાર એમના મુખે મહાન તત્ત્વ ઉપદેશ કરાવે છે. છેડો સુધરાવી આપે છે. એટલે માનવું જોઈએ કે જેને અંત સારે તેનું સૌ સારું.” ભમના સંકલ્પબળે આ ત્યાગ, આ તપ અને આ તાકાત જન્માવ્યાં હતાં. ને ભીનું સંકલ્પબળ પાંડવપક્ષે ન્યાયદષ્ટિએ પ્રથમથી ઢળ્યું હોત, તો તો. કદાચ મહાભારતનું યુદ્ધ પણ સહેજે ખાળી શકાયું હેત અને ભીષ્મપાત્ર અણીશુદ્ધ આદર્શરૂપ બની ગયું હતું, છતાં એના બાકીના પણ લોકોત્તર જીવનમાંથી એ બધ મળે છે કે, સંકલ્પબળ એ એક જીવનસાધનાનું અને કર્તવ્ય ક્ષેત્રનું મહાન જરૂરી પાસે છે; પણ એ પાસાને વિકસાવ્યા બાદ પણ સાચી દિશામાં એને અવિરતપણે વળાંક આપવા માટે એમાં અખંડ જાગૃતિની આવશ્યકતા છે. ભીમપાત્રમાં રહેલી અખંડ જાગૃતિની ખામીએ જ એ પાત્રને થોડી પણ, જો ગુપ લગાડી છે, છતાં અંત વખતે પણ તે પાત્ર એટલી પણ ઊણપ સમજી છેડે સુધારી લે છે, તે એની સંકલ્પબળમાંથી નીપજેલી સિદ્ધિને કારણે જ. આપણે એવી મહાન સિદ્ધિના મૂળરૂપ સંકલ્પબળના અજોડ સદ્ગણને ભીષ્માષ્ટમી દિવસે હજાર હજાર વાર રસપૂર્વક સંભારીશું અને એમના જીવનપ્રસંગ દ્વારા સવર્ણ-અસ્પૃશ્ય વર્ણને નામે ઊભી કરેલી ખોટી દીવાલને દૂર કરીશું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy