SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ત્યારે કામની મદદમાં વસંત પ્રગટ થવાની વાત આવે છે. પતિપત્નીનું જાતીય–આકર્ષણ મોહમાં ન પરિણમે અથવા વિકૃતવિકાર લગી ન ખેંચી જાય તે માટે, વસંતપંચમીમાં વિગ પૂજાનું વિધાન છે. એક સુશીલ પત્ની પિતાના જાતીયવેગને વિષ્ણુરૂપ પતિમાં આપી દે એટલે એ વેગ ઉપર સંયમ આપોઆપ આવી જાય છે અને સંયમની લગામ આવી ગયા પછી, પતિ-પત્ની સામે રાગ પ્રેરક પ્રબળ નિમિત્ત આવે તે પણ વિકૃત-વિકારની હદ લગી તેઓ જઈ શકતાં નથી. આવું સંયમી જોડે જે પ્રજોત્પત્તિ કરે છે તે પ્રજા પણ ઉચ્ચ કેટીની થાય તે સમજી શકાય તેવું છે. વસંતપંચમીના પર્વમાંથી ઉન્માદ નહિ, પણ સંયમ, ઉખલવેગ નહિ, પણ ઠંડી તાકાતનો ઉપદાર્થપાઠ લેવાનો છે. એટલું પૂજા કરનાર કે ઉત્સવમાં ભાગ લેનાર સ્ત્રી-પુરુષો અવશ્ય યાદ રાખે. ભીમાષ્ટમી [મહા સુદ ૮] ભીષ્મનું નામ લેતાં જ મહાભારતનું એક મહાન પાત્ર આપણી સામે ખડું થાય છે. એ પાત્રને જે એક જ સગુણ લઈને ન્યાય આપવો હોય, તે એવા સદ્ગુણ તરીકે તેમાં સંક૯પબળનો સદગુણ લેખાવી શકાય. આર્યસંસ્કૃતિના ગુરુજી વ્યાસમુનિએ સંકલ્પબળની દિશામાં એ પાત્રને અનોખું જ ચીતયું છે. ભીષ્મ પાત્રના પિતા શાન્તનને મત્સ્યગંધા સાથે સ્નેહ લાગ્યો. મત્સ્યગંધા શકન્યા હતી. ક્ષત્રિય રાજ પતિ અને માછીમારની કન્યા પત્ની. આજે કેટલાકને નવાઈ લાગે, પણ તેમ નથી. શુદ્ર અને ક્ષત્રિય બનને વર્ષો વચ્ચેના રોટીબેટી વ્યવહાર સ્વાભાવિક જ હતા, એટલે એમાં કેઈએ વધે જ નથી લીધો, લે તેમ ન હતું. કર્ણને હજુ સૂતપુત્ર તરીકે (કંઈક ઊણપવાળું એ પાત્ર હોય એમ.) ઉગારે મહાભારતમાં દેખાય છે, પણ શાન્તનુને આ શકન્યા સાથેના લગ્ન માટે કે પોતાના પિતાએ કન્યા સાથે લગ્ન કર્યા તે સારુ ભીષ્મ માટે કોઈ કશી જ ઊણપ ઉચ્ચારતું નથી અને રાજવી શાન્તનુને પોતાને પણ એમાં કાંઈ હીણપત દેખાતી કે લાગતી નથી. ઊલટું માછીમાર કહે છે, જે મારી પુત્રી પર સાચે સ્નેહ હોય તે એનો પુત્ર જ આપને ખરે ગાદીવારસ ગણાવો જોઈએ.” શાન્તનું વિમાસણમાં પડે છે, તે જોતાં જ આ વિમાસણને ભીષ્મ વણકણે દૂર કરાવે છે અને શપથ લે છે, “હું ગાદીએ તે નહિ જ -બેસુ પરંતુ ભવિષ્યમાં મારી પ્રજા પણ એ દાવો ઊભો ન કરે તે માટે હું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy