SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ મહાશિવરાત્રિ [મહા વદ ૧૩] મહાદેવનાં મંદિરે ઘણુંખરું નદીકાંઠે અથવા ગામ બહાર સ્વચ્છ હવામાં હોય છે, કારણ કે મહાદેવને પરિગ્રહ જ નથી. મહાદેવનું દેવળ હંમેશાં અભય હોય છે. બીલીપત્ર જેવી સામાન્ય સામગ્રી અને પાણીનાં ટીપાંથી તેઓ તૃપ્ત રહે છે. આથી એમની પૂજા પણ ભારે નથી પડતી. સાદાઈ, સ્વચ્છતા અને સંયમ એ સદ્દગુણ ત્રિપુટી જે મહાદેવના નામમાંથી લઇએ તો પોલીસ કે રાકનું શરણ લેવા દેડવું ન પડે. હિંદની પ્રજાને આ આદર્શ જ આગળ ધપાવી શકશે અને હિંદ દુનિયાનાં રાષ્ટ્ર સમક્ષ ગુરુપદ અપાવી શકશે. શિવનાં બે સ્વરૂપ છે : 1. સૌમ્ય, ૨. રૌદ્ર, પહેલું સૌમ્મસ્વરૂપ કામદેવને જીતવાનું ભગીરથ પ્રયાસ કરનારું છે. અન્ય મંદિરોમાં મૂર્તિપૂજા થાય છે, જ્યારે મહાદેવના દેવાલયમાં લિંગપૂજા થાય છે એનું રહસ્ય એ છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જેમ પારસી લોકોને “આતશ બહેરામનું પ્રતીક અંતરાત્માના પ્રકાશને ચોવીસે કલાક જાગૃત–ચેતતો રાખવાનું સૂચવે છે, તેમ મહાદેવની લિંગપૂજ પણ એ જ સૂચવે છે કે વીર્યપાત થયો આધ્યાત્મિક મૃત્યુ ! વીય રક્ષણ એ જ ખરું જીવન છે.” મહાદેવની બીજી વિશિષ્ટતા તેમની પૂળની છે. તેમને બીલીપત્ર તથા ધતુરાનાં ફૂલ ચડે છે. આપણી ધાર્ભિક ક્રિયામાં વૈદ્યકીય દષ્ટિ પણ વણાયેલી છે તે તમે દરેક સ્થળે જોશે. બીલીપત્ર ઠંડાં છે, વળી શિવજી ઉપર કાયમ જલ રેડાય છે. એ પ્રતીક એમ બતાવે છે કે બ્રહ્મચારીએ મગજ ઠંડું રાખવું જોઈએ.. ખાનપાન શીત વીર્યવર્ધક જ લેવાં. ધંતુરાના ફૂલને હેતુ એ છે કે ધંતુર કેલી છે. તેમ આત્મ મસ્તીના. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy