SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કર્મકૌશલ્ય. એ વેગનું બીજુ પાસું છે (૨-૫૦) ગમે તે માર્ગે જાઓ ગમે તે આશ્રમ સ્વીકારે, પણ આટલું ધ્યાન આપો એટલે બસ છે. युक्ताऽऽहारविहार युक्तचेष्टस्य कर्मसु । युक्त स्वप्नाऽव बोघस्य यौगो भवति दुःखह ॥ જે આવી યુક્તતા, કર્તવ્યાકર્તવ્યને વિવેક-જાતે શોધાય તે સૌથી ઉત્તમ કારણ કે પ્રભુ સૌના હ્યદયમાં બેઠો છે. (૧૮-૬૧) છતાં એમ ન બને તે સર્વ કર્તા સહિત સદ્દગુરુ શરણે જવું (૧૮-૩૬ ) અને એમ પણ ન બને તે સર્વ કર્મફળને ત્યાગ કરવો (૧૨-૧૧). સવ કર્મફળત્યાગની ભૂમિકા માટે નિરપેક્ષપણું, આંતરિક અને બાહ્ય પવિત્રતા, ઉદાસીનતા આદિ સદ્ગુણે મહત્ત્વના જરૂરી છે. (૧૨-૧૬) છેવટે તે ગુણાતીત જ થવાનું છે, ત્યારે જ મોક્ષ છે. (૧૪–૨૦). | સદગુરુ શરણે જનારામાં સર્વ ભૂતનું હિતચિંતન અને સમર્પણ આવશ્યક છે. (૧૨-૧૩–૧૪) અને (૧) પ્રભુ શરણે જનારમાં નિર્ભયતા અને એક નિશ્ચય જરૂરી છે. (૨/૪૧–૧૬/૧). પ્રભુ તો સર્વથી નિર્લેપ જ છે એટલે પ્રભુભક્ત નિર્લેપતા પામે તેમાં શી નવાઈ છે? હું રૂપ આત્મા, પરમાત્મા, ક્ષેત્રજ્ઞ સર્વત્ર છે. (અ, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૩, ) જગત અને જીવન જોડાયેલાં જ છે. (૨) સાચા સદ્દગુરુ તે અંતર્યામી જ છે. એટલે ત્યાં નમ્રતા, જિજ્ઞાસા અને સેવાભાવ સહિત (૪-૩૪) જવાથી શાંતિ મળે તેમાં નવાઈ જ શી ? તથા કર્મમાં જ માનવીનો અધિકાર છે. કમંફળસિદ્ધિમાં માનવીને એકલે. પુરુષાર્થ કાર્ય કરતો જ નથી. ત્યાં અહંકાર શા ખપને ? (૨-૪૭ ). અહંકારથી કરેલી હઠ અંતે નિરર્થક નીવડે છે અને આત્મપાત જ થાય છે. ( ૧૮-૫૯ ) અહંકાર છોડનાર આસક્તિજીત કમળની જેમ સંસાર રૂપી વૃક્ષથી (૧૫–૧) નિલેપ રહે છે (૫–૧૦) દૈવિસંપતિમાન અજુન આ વાતને સમજી જવાથી એને મોહ જતો રહ્યો એટલે સ્વયં પોતાનું કર્તવ્ય સમજાયું. અને એને જન્મેલે ખેદ (૧-૪૭) નષ્ટ થયો. (૧૮-૭૩). » તત્સત એ ત્રિવિધ બ્રહ્મનાં નામ પર શ્રદ્ધાપૂર્વક જપ કરાવતો તે જપયજ્ઞ દ્વારા પણ કર્તવ્ય ભાન પ્રગટે છે. કારણ કે બ્રહ્મ નિર્દેશમાંથી સંસ્કૃતિ, શાસ્ત્ર અને યજ્ઞરૂપી ધમંય પુરુષાર્થની ઉત્પત્તિ છે. (૧૭-૨૩) આમ ગીતાને છેલ્લો વનિ એ છે કે જ્યાં તટસ્થ બુદ્ધિ અને કર્તવ્યવીરતા છે ત્યાં વિજય, શ્રી વિભૂતિ અને અયળ નીતિ એટલે કે સૂક્ષ્મ અને સ્થળ બન્ને પ્રકારનાં સુખ છે જ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy