SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સાદી ભાષામાં કહીએ તે “ભણો ભલે, પણ ભણતરનું અભિમાન છોડે અને ભણતરની સાથે ગણતર ભેળવી દો.” ગણતર એટલે કેળવણી અથવા સૂઝને વિકાસ. આચરણનો વિકાસ. એથી જ કહ્યું છે: “વિદ્યા વિના મને વિદ્યા વિનયથી શોભે છે. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્ તે ત્યાં લગી કહે છે કે શિષ્ય ભલે પૂર્ણજ્ઞાની (સર્વા) થઈ જાય અને ગુરુ ભલે સાવ અધૂરા રહી જાય, તોયે એવા અલ્પજ્ઞ ગુરુને પણ વિનય ન ચૂકવો.” ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન” (આ. શા. ગાથા ૧૯ભી). આ દષ્ટિએ બીજે સ્થળે શ્રીમદ્ ત્યાં લગી પણ વદે છે કે – “અધમાધમઅધિક પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય.” હું આખાય જગતમાં વધુમાં વધુ અધમ–પતિત છું એ નિશ્ચય આવ્યા વિના સાધના બધી જ નકામી છે.” શ્રીમની વિશેષતા એ છે કે તેઓએ જે કહ્યું છે, તે જ રીતે તેમણે તેમનું પિતાનું જીવન બનાવ્યું છે. ગાંધીજી એ માટે સ્પષ્ટ કહે છે: “મેં ઘણુંના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ. કર્યું હોય તે તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે...તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિન્દુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મેક્ષ સુલભ થાય... શ્રીમન્નાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ, એક પણ અક્ષર નથી લખ્યો. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનું હતું. જેને આત્મકલેશ ટાળવો છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમન્ના લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે; પછી ભલે તે હિંદુ છે કે અન્ય ધમાં હો !..” અહીં આપણે સત્તર વર્ષની એમની ઉમ્મર પહેલાનાં જ ડાં ગદ્યો અને પવો જોઈએ: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy