SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાઓ ઉપર તેમને (તુચ્છ માની) હુમલાઓ કરવા માંડે છે, તેઓનું આત્મજ્ઞાન વાતેમાં રહે છે. તેઓ રાગ-દ્વેષ વશ થઈ જાય છે અને અધમી બની જતાં તેમને વાર લાગતી નથી.” આ ભાવાર્થને સૂચવતી એ ઉત્તરાધ્યયન સૂત્રની ચોથા અધ્યયનની તેરમી (છેલ્લી) ગાથા જીવનનું પરમ રહસ્ય પામવા માટે–માનવ જીવન મોક્ષાથે જ છે, તે બતાવવા માટે–ઘણું ઘણું કહી જાય છે. જૈન આગમોમાં જે આઠ પદસ્થાને બતાવ્યાં છે, તેમાં પણ વિદ્યા અથવા બાહ્ય શિક્ષણને પદનું સ્થાન કહ્યું છે. ઉપનિષદ્ (ઈશાવાસ્ય ઉપનિષદ)માં પણ અવિદ્યા કરતાંય વિદ્યાને ભયંકર બતાવી છે તે આવાં કારણોને લીધે જ બતાવેલ છે. એક ભક્ત કવિને કહેવું પડ્યું છે : बनादो बुद्धिहीन भगवान, बनादो बुद्धिहीन भगवान तर्कशक्ति सारी हर लो, हरो ज्ञान विज्ञान" શ્રીમદ્જીએ પણ મહાત્મા ગાંધીજીની પ્રશ્નોત્તરીમાંના (શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ વિભાગ પૈકી) પૃ. ૪૪૮માં ચોવીસમાં પ્રશ્નના ઉત્તરમાં સાફ જણાવ્યું જ છે કે “ભાષાનાન; મોતને હેતુ છે તથા જેને (ભાષાજ્ઞાન) ન હોય, તેને આત્મજ્ઞાન ન થાય, એવો કોઈ નિયમ સંભવતો નથી. ખરી રીતે તો જ્ઞાનીજન પાસેથી જ કે તેમની શ્રદ્ધાથી પ્રાપ્ત કર્યા પછી જ ભાષાજ્ઞાન મેળવવું સારું અને તે જ તે મોક્ષ સાધક બની શકે. ખુદ ભતૃહરિ પિતાને અનુભવથી કહે છે: “જ્યારે હું થોડું માત્ર ભાષાજ્ઞાન જાણવા લાગ્યો કે તરત મહામદાંધ છે પણ હવે જ્ઞાનીજન પાસેથી જરાક જાણ થાય કે તરત મને મારું મૂખપણું દેખાયું અને મિથ્યાભિમાન રૂપી તાવ તરત નાસી ગયો.” - શતાવધાનને નિમિત્તે શ્રીમદ્દજી જેવા સાધારણ ભાષા જ્ઞાનને પણ મહાન વિઠાને તરફથી “સાક્ષાત સરસ્વતીની પદવી મળી, તે પણ આવી ખાતરી આપી જાય છે. પણ આનો અર્થ છે કે એમ લઈ લે કે “ભણવું જ નહીં, નિરક્ષરઅભણ અથવા અજ્ઞાન રહેવું તે એ પણ અર્થનો અનર્થ થઈ જય.” મૂળે. અક્ષરજ્ઞાનની જરૂર તો છે જ. ગણિત અને અક્ષરજ્ઞાન જેટલું વધુ તેટલા જીવનના ગહનકેયડાઓ ઉકેલવામાં મદદ મળી શકે, પરંતુ ગીતાની પરિભાષામાં કહીએ તે વ્યવસાયામિકાબુદ્ધિ બનાવવા માટે એને સાધનરૂપે જ ઉપયોગ થ જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy