SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નકૂટ ઉત્સવ સંવતની શરૂઆત કાર્તિક સુદ એકમથી થાય છે. અનકટ દિવસ એ સ્વર્ગના ઈંદ્રને બદલે પૃથ્વીના પિતા પર્વતની પૂજાને સૂચક છે. વાસુદેવે ગેપગોપીઓને ચીંધ્યું હતું કે પ્રભુની પ્રતિમા પાસે અન્નકૂટ ધરવાનો રિવાજ મંદિરમાં ચાલે છે. આજે સમાજમાં પ્રાણુઓ રૂપી દેવ પાસે આપણી પાસેની સર્વ કંઈ સંપદા ધરીને તેમાંથી થોડી પ્રસાદી લઈ સંતોષ માનવો એવો સંદેશ આ પર્વમાંથી તારવવો જોઈએ. દેશમાં પ્રજા વધી છે અને અન્નની તંગી છે ત્યારે કોઈને ભૂખે ન મરવા દેવા માટે “એ છેથી ચલાવવું અને અનિવાર્ય જરૂરિયાત કરતાં વધુ ન સંઘરવું.” એ સૂત્ર અમલી બનાવ્યા વિના છૂટકો પણ નથી. બાઈબીજ આજે બહેનને ત્યાં ભાઈ જમવા જાય તે નરકનું દુઃખ પણ ટળે અને વગીય તથા ભૌતિક બંને પ્રકારનાં સુખો મળે” આ જાતની કથા પ્રચલિત છે. સંસારના સર્વે નેહામાં ભાઈબેનને સ્નેહ સૌથી નિઃસ્વાર્થ સ્નેહ છે. પિતાના પતિ કરતાં પણ બહેન પોતાને વીરાને નેહથી વધુ નવડાવે છે. ઠેસ લાગે ત્યારે પણ ખમ્મા મારા વીરાને !” એ ઉદ્દગારો એનું જવલંત પ્રમાણે છે. સ્નેહમાં સ્વર્ગ આપવાની તાકાત છે, એમાં કણ ના પાડશે ? સંપૂર્ણ નિરવાથી નેહ તો મોક્ષ પણ આપી શકે તો સ્વર્ગ શી વિસાતમાં? “પ્રેમ એ જ પ્રભુ એ ખ્રિસ્તી ધર્મનું વાક્ય આ વખતે યાદ આવે છે. કાર્તિક પૂર્ણિમા આ દિવસે દેવદિવાળીના તહેવાર તરીકે જાણીતો છે. શંકર ભગવાને દેવોને રાક્ષસોથી નિર્ભય કર્યા તેથી તેમણે દીપોત્સવ કર્યો માટે એ પર્વનું નામ દેવદિવાળી પડયું; એવી વાત ચાલે છે. આપણું શરીરરૂપી મંદિરમાં પડેલા કામ અને ધરૂપી રાક્ષસોને અધ્યાત્મભાવરૂપી શંકર દ્વારા દૂર કરવા પ્રયત્ન કરવો એ આ પર્વની સફળતા છે. જૈનસંઘના સાધકે આજે ચતુર્માસની છેલ્લી તિથિનું મોટું પ્રતિક્રમણ કરતા હોય છે. જૈન સાધુસાધવીઓના ચતુર્માસનો આ છેલ્લો દિવસ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy