SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ હવેના જે આઠ માસ ઉઘાડા રહેવાના હોય છે તેમાં જાગૃતિ રહે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનું બંધન ન થાય તે વિચારવાનો પણ આ છેલ્લે દિવસ છે. ધર્મપ્રાણ લોકાશાહ કે જે જૈનધર્મને મહાન ક્રાંતિકાર થયા છે, તેમની પણ આ જ જયંતી ગણાય છે. સંવત પંદરસો ત્રીસની સાલમાં એમની ધર્મકાતિએ તે વખતના જૈનસંધ ઉપર જબરો પ્રભાવ પાડ્યો હતે. યૂરોપના ધર્મક્રાન્તિકારી માર્ટિન લ્યુથરની ક્રાન્તિની પહેલાં આ ચેતનવંત પુરુષ પાકો હતે. ધર્મમાં ધનનું કે સત્તાનું પ્રભુત્વ હોઈ શકે જ નહિ; એ એમને મુખ્ય મંત્ર હતો. મૂર્તિપૂજા, દાનની ત્યારની પ્રથા વગેરે સામે એમણે ઉઠાવેલા વિરોધની પાછળ એ મંત્રનું બળ હતું. એમની માન્યતાનો વારસો મુખ્યપણે જે સમાજે ઉપાડેલ તેને સ્થાનકવાસી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આજે એ સમાજને પણ ધમંક્રાંતિની એટલી જ જરૂર છે જેટલી લોકાશાહના કાળમાં હતી. આજની ધમકાન્તિનો મુખ્ય ઝોક સર્વધર્મ સમન્વય તરફ હશે અને એ તરફ જ હોવો જોઈએ. જ્ઞાનેશ્વર જયંતી [કારતક વદ ૧૩] નાની ઉમ્મરમાં પણ આધ્યાત્મિકતાની જ્યોત કેવી રીતે ઝળહળી ઊઠે છે, તે જ્ઞાનેશ્વરી ગીતા વાંચતાં સહેજે જણાઈ રહે છે. વિરલ બુદ્ધિભવ અને અગાધ તકપ્રતિભા છતાં એમણે હૃદયની જે ઉચ્ચતા અને અવશ્ય ત્યાગ અને તપ સાયાં હતાં તે જ જ્ઞાનેશ્વર મહારાજ પ્રત્યે હૃદય નમાવે છે. શુદ્ધ હૃદય આગળ બુદ્ધિ નમી પડે તેથી તે કશું ગુમાવત નથી પણ ઉજજવળ થઈ વિશ્વવ્યાપી દીપ્તિ ધારણ કરી શકે છે, તેવું પણ જ્ઞાનેશ્વરનું સંતજીવન સ્વાભાવિક કહી જાય છે. પાડાને મુખે વેદોચ્ચાર કરાવનાર અને નાની ઉમ્મરમાં ગીતા જેવા ગ્રંથ પર અલૌકિક ટીકા રચનાર જ્ઞાનેશ્વર મહારાજના નામથી કોઈ પણ મહારાષ્ટ્રસ્થ માનવી ભાગ્યે જ અજાણ હશે. જ્ઞાનદેવ એ ખરે જ જ્ઞાનમૂતિ હતા. “સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી જ્ઞાનેશ્વરી ગીતા બહાર પડ્યા પછી આ પુરુષ અને એમનાં ભાંડુઓથી ગુજરાતને વાચક વર્ગ પણ સુપરિચિત થઈ ચૂક્યો છે. એ પુરુષની જન્મજયંતી હતી. ગીતા આ વિશ્વમાં જ્યાં લગી જીવશે ત્યાં લગી જ્ઞાનેશ્વરનું નામ અને એમનું જીવન આપણાથી ભૂલ્યું નહિ ભુલાય. નિવૃત્તિ જ્ઞાનદેવ–સોપાન મુકતાબાઈ–એકનાથ-નામદેવ તુકારામ તુકારામ” એ ધૂનને મધુરાસ્વાદ જાણે લીધા જ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy