________________
પર
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
છેડી પ્રમાદ વગરના આચરણથી મુનિ મુક્તિ મેળવે છે. વાસ્તે હે મુનિ! પૂર્વ વર્ષો સુધી પણ અપ્રમત્ત બની વિચરજે. (૮–૧૨૨) स पुव्वमेवं न लभेज्ज पच्छा, एसोवमा सासयवाइआणं । विसीअई सीढिले आउअम्मि, कालावणीए सरीरस्स भेए॥९॥ स पूर्व मेवं न लभेत पश्चानू, एषोपमा शाश्वतवादिनाम् । विषीदति शिथिले आयुषि, कालोपनीते शरीरस्य भेदे ॥९॥
અથ– જે પહેલેથી જ અપ્રમત્ત ન હોય તે અંત્યકાલે પણ પૂર્વની જેમ અપ્રમાદને ન પામી શકે. “અમે પછીથી ધર્મ કરીશું.'—આવી ધારણા, કદાચ નિરુપક્રમ આયુષ્યવાળા હાઈ પિતાને શાશ્વત તરીકે માન્યતાવાળાઓને યુક્ત થાય, પણ પાણીના પરપોટા જેવા આયુષ્યવાળાએ તે ઉત્તરકાલમાં ખેદ પામે છે. આત્મપ્રદેશને છોડનાર, આયુષ્ય થાય કે મૃત્યુના આવ્યા પહેલાં, શરીરથી છૂટા થતાં પહેલાં આત્માએ પ્રમાદને પરિહાર કરવું જોઈએ. (–૧૨૩) खिप्पं न सकेइ विवेगमेऊ, तम्हा समुट्ठाय पहाय कामे ।। समेच्चलेागं समया महेसी, अप्पाणरक्खी व चरऽप्पमत्तो॥१०॥ क्षिप्रं न शक्नोति विवेकमेतुं, तस्मातू समुत्थाय प्रहाय कामान् । समेत्य लोकं समतया महर्षिः, आत्मरक्षीव चराप्रमत्तः ॥१०॥
અર્થ–તત્કાલ સર્વ સંગત્યાગ કે કષાયત્યાગરૂપ વિવેક પામી શકતા નથી, માટે “હું પછીથી ધર્મ કરીશ. –આવા આલસના ત્યાગપૂર્વક ઉદ્યમ કરી, કામને છેડી, પ્રાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org