________________
( ૮ ) દાવાનળથી બળેલા જીવોને પૂર્ણ શલતાભર્યું જે કઈ સ્થાન હોય, તે તે અચલ અને અવ્યાબાધ એકમેક્ષ જ છે-એમ પોકારી પોકારીને પ્રદર્શિત કરે છે : સંસારસાગરમાં બૂડતા પ્રાણીઓને તરવાનું સ્થિર અને શાશ્વત સ્થલ, મુક્તિ જ છે–એય નિશ્ચિત વિદિત કરે છે. સંસાર રૂપી કેદખાનામા–પરતંત્ર દેહમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખને જ અનુભવતા અને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન મેક્ષ જ છે–એવું પ્રતિપાદન કરે છે.
માનવજન્મ મેળવ્યો અને સાથે સાથે જન્મ પણ જૈનધર્મના ઘરમાં પુણ્યપ્રભાવે થયો. વળી શ્રી જિનશાસનની ઓળખ થઈ, તેમ જ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકોને પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સુભાવના-લતા વિકસી. વ્રતગ્રહણ કર્યા પછી સંયમી જીવનને પુષ્ટ કરવાનું, સંયમી જીવનને સાર્થક બનાવવાનું અને સંયમી જીવનની ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું રસાયણ કહે કે પ્રબલ અવલંબન કહો તે તે સ્વાધ્યાય જ છે. માનવોને જીવવા માટે જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે, તેમ સંસારત્યાગી સયમ-- ધરને સંયમજીવનને જીવંત અને મનને ઉજજવલ રાખવા માટે આહાર કહો કે જડીબુટ્ટી કહે, તે તે આત્મકલ્યાણ સાધનાર શ્રી વીતરાગદેવની વાણથી ઓતપ્રેત સુશાસ્ત્રોને સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે-“સ્વાધ્યાયીનો ચતિ જેમ વસ્ત્ર વગરને માનવ નગ્નાટી જેવો કહેવાય છે, તેમ સ્વાધ્યાયવિહુણે યતિ-સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે, પતનના પંથે પરવરે છે. ઈન્દ્રિમાના ચંચલ તુરંગની લગામ, મનમર્કટને વેચ્છાનુકૂલ વર્તાવવાની શબલા, વચનબળને નિરવદ્ય અને પુણ્ય રૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર અને કાયાની કંપનીને ભરચક નફે મેળવવાની સુંદર સીઝન જે કોઈ હોય, તો શાસ્ત્રકારે સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કાંઈને કાંઈ મનન જોઈએ છીએ. પછી ભલે એને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org