SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ છ લશ્યાના પરિણામવાળા મન-વચન-કાયયોગના પ્રવર્તનને જૈન શાસ્ત્રોમાં જાંબુના ફળ ખાવાની ઈચ્છાવાળા છ પુરૂષના દૃષ્ટાંતથી નીચે મુજબ સ્વરૂ પથી સમજાવવામાં આવેલ છે. કેઈ એક જગલમાં ભિન્ન-ભિન્ન છ લેશ્વાના સ્વભાવવાળા છ મનુષ્ય જાંબુનું વૃક્ષ દેખી જાંબુ ખાવાની ઈચ્છાથી નીચે મુજબ પ્રવૃત્તિ કરે છે. (૧) કૃષણ લેશ્યાવાળે મનુષ્ય મુખ્ય થડ કાપી નાંખી આખા વૃક્ષને નીચે પાડીને જાંબુ ખાવાની ઈરછાએ પ્રવૃત્ત હોય છે. (૨) નીલ ગ્લેશ્યાવાળો મનુષ્ય ઝાડ ઉપર ચઢી, ઝાડની મોટી મોટી મુખ્ય ડાળીઓ કાપીને જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હેય છે. કાત લેશ્યાવાળો મનુષ્ય ઝાડ ઉપર ચઢી, નાની નાની ડાળીઓ કાપીને જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હોય છે. (૪) તેને લેશ્યાવાળે મનુષ્ય ઝાડ ઉપર ચઢીને, તેના મોટા મોટા ગુચ્છાઓને છેદીને જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હાથ છે. (૫) પદ્ધ વેશ્યાવાળે મનુષ્ય ઝાડની નીચે ઉભા રહીને ઝાડ ઉપરથી ચુંટી ચુંટીને એક એક જાંબુ ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હોય છે. (૬) શુકલ વેશ્યાવાળો મનુષ્ય જાબુના ઝાડની નીચે પડેલા જાંબુમાંથી પાકા પાકા ખાવા ગ્ય જાબુઓ માત્ર ખાવાની ઈચ્છાએ પ્રવૃત્ત હોય છે. ઉપરના દષ્ટાંતથી સ્પષ્ટ સમજાય તેમ છે કે શુકલ-પદ્ધ અને તેને લશ્યાના પરિણામથી અનુક્રમે કાપત–નીલ અને કૃષ્ણ લેશ્યાના પરિણામ ઉત્તરોત્તર વિશેષ અશુભ છે. ઉપર જણાવેલ લેશ્યાનું સ્વરૂપ મુખ્યપણે યોગ પ્રવૃત્તિ સંબંધી દેવાથી ઉપચારે વર્ણાત્મકપણે પણ વિચારવું જરૂરી છે. ઓદયિકભાવજન્ય દ્રવ્યલેશ્યા સંબધે ભાવ લેશ્યા એટલે આત્મ-પરિણામ પણ એકાંતે તત્ સ્વરૂપ જ હેય એવો નિયમ નથી. –વીવાર–– શાનાર ૮ રોવર –––મને –વીવાર યાદ છે ? परेऽप्रवीचाराः ॥१०॥ પૂર્વ એગ સંબંધી લેશ્યા (શુભ-અશુભ) નું સ્વરૂપ (આહારના) ભેગ સંબંધી જણાવીને અત્ર સૂત્રકાર ના પ્રી-સંબંધી (મૈથુન) ભેગનું સ્વરૂપ જણાવે છે. પ્રથમના બે દેવલોક સુધીના એટલે સૌધર્મ દેવલેક અને ઈશાન દેવલોક સુધીના દેવ-દેવીએ મનુષ્યની માફક કાય સંબંધે ભેગી હોય છે. (જોકે દેવોને ઔદ્યારિક પુદંગલ રૂપ–વીર્ય ન લેવાથી દેવીઓને ગર્ભ–ધારણ કરવાપણું હેતું નથી.) એટલે ભવનપતિ-વ્યંતર અને Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy