SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ + = અર્ધરાજ લેક પ્રમાણ જાણવું. આ રીતે પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તરદક્ષિણ એમ ચારે બાજુ એક રાજલક પ્રમાણ, તિચ્છ-ક્ષેત્રમાં, અસંખ્ય દ્વીપ સમુદ્રો, અનુક્રમે જંબુદ્વિપથી બમણા–બમણ વિસ્તારવાળી જાણવા. ઉપર જે પુષ્કરવરદ્વીપ સળ લાખ જેજનને જણાવેલ છે. તેને અર્ધભાગમાં જ એટલે આઠ લાખ જન સુધીમાં જ મનુષ્યનાં જન્મ-મરણ થતાં હોવાથી કુલ કપ પ્રમાણ-ક્ષેત્ર, જે પૂર્વ-પશ્ચિમના પીસ્તાલીસ-લાખ જન થાજન થાય છે. તેટલું જ મનુષ્ય ક્ષેત્ર નીચે મુજબ જાણવું. પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ ચારે બાજુ ૧ લાખ એજનને જંબુદ્વીપ, તેમાં ૨+ ૨ લાખ પૂર્વ પશ્ચિમના લવણ સમુદ્રના જ (ચાર) લાખ ઉમેરવા, તેમાં ૪+૪ લાખ, પૂર્વ-પશ્ચિમના ઘાતકી ખંડના ૮ લાખ ઉમેરવા, તેમાં ૮ + ૮ લાખ પૂર્વપશ્ચિમ કાલેદધિ સમદ્રના ૧૬ લાખ ઉમેરવા, તેમાં ૧૬ લાખના પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગના પૂર્વ-પશ્ચિમ બે બાજુના ૮ + ૮ = ૧૬ લાખ યેાજન ઉમેરતાં કુલ ૪૫ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. આકૃતિ-૨ અઢીદ્વિીપને નકશે. મનુષ્ય ક્ષેત્રની બહારના દ્વીપ તથા સમુદ્રોમાં માત્ર તિર્થના જ જન્મ-મરણ થતા હોય છે. જે બદ્વીપની મધ્યમાં નાભિની જેમ ગોળાકારે ૧ લાખ યોજન ઊંચાઈવાળો મેરૂ પર્વત આવેલો છે. તે જમીનમાં ૧,૦૦૦ એજન ઉડે છે અને તેના મૂળમાં ૧૦,૦૦૦ જન પહેળે છે જમીનની બહાર ૯૯ ૦૦૦ એજન ઉચે છે અને જેની જમીન ઉપરની તળેટી પાસે દશ હજાર જનની પહોળાઈ છે. ૧ લાખ જનની ઉંચાઈના ત્રણ વિભાગ નીચે પ્રમાણે જાણવા. સૌ પ્રથમ ભૂમિકાંડ છે તે ૧,૦૦૦ થાજન ઉચે છે. (આ વિભાગ ભૂમિની અંદર લેવાથી ઉડે પણ કહી શકાય) તે કાંડ કાંકરા, પત્થર, માટી વિગેરેને છે. તેની તળેટીએ પૂર્વ-પશ્ચિમ ૨૨,૦૦૦-૨૨,૦૦૦ જન લાંબું, ઉત્તર-દક્ષિણ ૨૫૦-૨૫૦ જન પ્રમાણ પહોળું ભદ્રશાલવન આવેલું છે અને તે તળેટીથી ઉપર ૫૦૦ જન ઉચે બીજુ નંદનવન આવેલું છે. આ નંદનવનથી ઉપર ૬૨,૫૦૦ એજન એટલે કે તળેટીથી ૬૩,૦૦૦ એજન ઉંચે ત્રીજુ સોમનસ વન આવેલું છે. તેને ભૂમિ ઉપર બીજો કાંડ જાણો. આ કાંડ આ કાંડ ફટકારત્ન, અંકશન, રૂપું અને સુવર્ણમય છે. સોમનસવનથી ૩૬,૦૦૦ યેાજન ઊંચે જતાં ત્રીજે કાંડ (વિભાગ) આવે છે તે રક્તસુવર્ણમય છે. મેરૂપર્વત છેહલી ટોચે (શિખરે) ૧૦૦૦ યોજન પહેળે છે. તે ચે ચે શું પાંડુકવન આવેલું છે. વળી ટોચ ઉપર ૪૦ જનની ઉંચી ગુલિકા છે તે ઉપર જિનમંદિર છે. પાંડુકવનમાં અભિષેક શિલા પણ આવેલી છે. આ રીતે એક લાખ એજન Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy