SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મનઃ પર્યાયજ્ઞાનના બે ભેદ છે. (૧) જુમતિ (૨) વિપુલમતિ, અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા (મના પર્યાપ્તિવાળા) આત્માએ પ્રથમ કાગ દ્વારા (પોતાની મન લબ્ધિ દ્વારા) મને વર્ગણાના પુદ્ગલે ગ્રહણ કરીને તેનું (પોતાની મન લબ્ધિ દ્વારા) જે મનન કરે છે તે મને ગમે એટલે તે મને વર્ગણાના પુદગલોના સવરૂપને, મન પર્યવજ્ઞાની પોતાની મનઃ પર્યાય જ્ઞાનલબ્ધિ દ્વારા, ઉપગ મૂકીને, ઋજુમતિ કંઈક અપષ્ટ ભાવે, પોતપોતાના ક્ષયે પશમાનુસારે, પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ પિતાના આત્મા વડે તે મને–વર્ગણાઓને જોઈને અને જાણીને, તે દ્વારા મનન કરેલા જ્ઞાનને (અર્થને) જાણે છે. આ મનઃ પર્યાવજ્ઞાન સમ્યક્દષ્ટિને થતું હોવાથી સમ્યક હોય છે. જ્યારે મતિ, શ્રત અને અવવિજ્ઞાન દષ્ટિ આત્માને પણ પોતપોતાના ક્ષપશમાનુસારે પ્રાપ્ત થતું હોય છે, ત્યારે તેના મિથ્યાજ્ઞાન તેમજ વિમંગશાન સમજવું. ઋજુમતિ મનઃ પર્યાયજ્ઞાની કરતાં વિપુલમતી મનઃ પર્યાયજ્ઞાનીના વિષય કાંઈક અવિક અને વધુ સ્પષ્ટતાવાળો હોય છે. તેમજ ઋજુતિ–મના પર્યાયજ્ઞાન આવ્યા પછી ચાલ્યું પણ જાય છે. જ્યારે વિપુલમતિ-મન પર્યાયજ્ઞાન આવ્યા પછી જતું નથી. એ રીત - એ બને જ્ઞનોમાં ભેદ છે. - અહીં એ જાણવું ખાસ જરૂરી છે કે, અવધિજ્ઞાની પણ મનન કરેલા, મનના પગલેને (રૂપી હેવાથી) જાણે છે અને જુએ પણ છે. તેમ છતાં તેઓ મનઃ પર્યાયજ્ઞાની જેવા વિશેષ સ્વરૂપથી તેમજ વિશુદ્ધ ભાવથી તેને જાણી શક્તા નથી. પ્રશ્ન : જે અવવિજ્ઞાની તેમજ મન પર્યાયજ્ઞાની અને મનન કરેલા મનના પુગલોને જાણે છે, તે તે બને જ્ઞાનમાં શું ફેર છે? ઉત્તર : અવવિજ્ઞાની પ્રથમ તે, અવધિ દર્શને કરી, મનન કરાયેલ મનના પુદ્ગલેને સાક્ષાત્ જુએ છે, અને તે પછી તેને અવવિજ્ઞાને કરી વિશેષ સ્વરૂપે સાક્ષાત સ્વરૂપે જાણે છે. જ્યારે મનઃ પર્યાયજ્ઞાની પ્રથમથી જ સાક્ષાત્ સ્વરૂપે મનના કરાયેલ મનના મુદ્દગલોને વિશેષ સ્વરૂપે પ્રથમથી જ સાક્ષાત્ જુએ છે અને જાણે છે. કારણ કે મનઃ પર્યાયજ્ઞાનીને મનના પુદ્ગલેને જોવા માટે પ્રથમ દર્શનની (સામાન્ય સ્વરૂપે જોવાની) જરૂરત હોતી નથી. અવધિજ્ઞાની આત્મા જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડી ઉત્કૃષ્ટથી સમસ્ત લેક સુધીમાં રહેલા મુદ્દગલ દ્રવ્યને જોઈ શકે છે તે જાણી શકે છે. આથી તેઓ મનન કરાયેલ અને વર્ગણાના દ્રવ્યોને પણ આત્મપ્રત્યક્ષપણે જોઈ શકે છે અને જાણી પણ શકે છે જ્યારે મનઃ પર્યાયજ્ઞાની આત્મા, તિરછલોકમાં અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર સુધી એટલે માનુષેત્તર પર્વત સુધી, તેમજ ઉર્વ-અધા-એક હજાર જજન Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy