SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના તથા ઉપસંહાર પૂર્વ પ્રથમ જણાવ્યા મુજબ નિસર્ગથી અગર અધિગમથી ઉત્પન્ન થયેલ તત્વાર્થ શ્રદ્ધાન રૂપ, શંકા-કાંક્ષાદિ અતિચાર રહિત, સમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકયાદિ ગુણેના પ્રગટ થવારૂપ વિશુદ્ધ એવું સમ્યફ-દર્શન પામીને, વિશુદ્ધ જ્ઞાન મેળવીને, નય-નિક્ષેપ-પ્રમાણ-સાપેક્ષ નિદેશ-રિવામિત્વાદિ દ્વારા યુક્ત, જીવાદિ તના, ઓપથમિકક્ષાયિક, ક્ષાપથમિક, ઔષિક તેમજ પારિણામિક, એ પાચ ભાવની ઉત્પત્તિ-સ્થિતિ અને લય (નાશ) ના ભાવેને જાણનાર ઉત્તમ આત્મા મેક્ષ પ્રાપ્તિના પ્રવર્તન (સંવરનિર્જરા) વડે, શ્રદ્ધા-સંવેગના અનુભવ યુક્ત દ્વાદશ ભાવનાઓ વડે, ભાવિત (અનુપ્રેક્ષાકારી) આત્મા, આત્મ ભાવમાં સ્થિર થઈને ઉત્તરોત્તર સંયમ-સ્થાનકોને પ્રાપ્ત કરવા વડે અનેક ઋદ્ધિઓને પણ પ્રાપ્ત કરવાવાળે થાય છે. આમ છતાં શુકલ ધ્યાન ધ્યાવતે થકે સમાધિભાવમાં સ્થિર થઈને, મેહનીય કર્મને સર્વથા નાશ કરીને તુરત જ એક સાથે જ્ઞાનાવરણ–દર્શનાવરણ અને અંતરાય કમને પણ સર્વથા ક્ષય કરીને, સર્વજ્ઞ અને સર્વદશીતા પ્રાપ્ત કરીને, આયુષ્યકાળ પર્યત ચાર અઘાતિ કર્મોને, ભગવને ક્ષય કરી, આયુષ્ય પૂર્ણ થયે, એકાંતિક તેમજ આત્યંતિક, સહજ-અક્ષય-અવ્યાબાધ સ્વરૂપી મહ. સુખને પ્રાપ્ત કરે છે. एवं तत्व परिज्ञाना-द्विरतस्यायात्मनो भृशम् निरास्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥१॥ એ પ્રમાણે તત્વને સારી પેઠે જાણનારો-વૈરાગી આત્મા આશ્રવ રહિત થઈને પ્રથમ તે નવા કર્મને બંધ કરતો નથી, તેથી पूर्वाजित क्षपयतो, यथेाक्तैः क्षयहेतुभिः संसार बीज कात्स्येन मोहनीय प्रहीयते ॥ २॥ પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા તવનો આશ્રય કરીને) ક્ષય કરવાવાળે થાય છે. તેમાં સૌ પ્રથમ સંસારના બીજરૂપ મેહનીય કર્મને સર્વથા ક્ષય કરે છે, તે પછી તુરતજ ततोऽन्तरायज्ञानघ्न-दर्शनघ्नान्यनन्तरम् प्रहीयन्तेऽस्य युगपत् , त्रीणि कर्माण्यशेषतः ॥३॥ બારમે ગુણસ્થાનકે આવેલ તે આત્મા, એકી સાથે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અનંતરાય કર્મ એ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને સર્વથા કરીને, તેરમે ગુણ સ્થાનકે સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy