SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ (૨) કાળ : કેઈ આત્માને મુક્તિ જવાને માટે કેઈ કાળ બાધક નથી. પરંતુ પૂર્વે જણાવ્યા મુજબ જે આત્માએ ચૌદમે ગુણસ્થાનકે આવી શૈલેષીકરણ કરેલ છે. તે આત્મા આયુષ્ય ક્ષયે એક સમયમાં જ મોક્ષમાં જાય છે ત્યાં તેઓ સાદિ અને તમે ભાગે સ્થિર રહે છે. ત્યાં ગયેલ આત્માને કર્મ નહિ હેવાથી ફરીને જન્મ મરણ કરવાના હેતા નથી. (૩) ગતિ : સંજ્ઞી પંચેન્દ્રિય-પર્યાપ્ત અવસ્થાને પામેલ મનુષ્યો જ મોક્ષમાં જઈ શકે છે. તે માટે મનુષ્ય ગતિ તે મેક્ષનું અનંતર કારણ છે. અત્રે એ સમજવું જરૂરી છે કે દેવગતિ તે મોક્ષગતિ નથી, તેમજ દે મિક્ષમાં જઈ શક્તા નથી. (૪) લિંગ : સ્ત્રીલિંગ-પુલિંગ યા નપુંસકલિંગ એ ત્રણે લિંગવાળા આત્માઓ મેક્ષમાં જઈ શકે છે. પરંતુ જે આત્માઓએ નવમે ગુણસ્થાનકે વેદને ક્ષય કરી સર્વથા મોહનીય કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ હોય છે. તેઓ જ મોક્ષે જઈ શકે છે. વળી વિશેષે જાણવું કે જે છે જેને સાધુ ધર્મ અંગીકાર કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે તેઓને શાસ્ત્રમાં સ્વલિંગે મેક્ષે ગયેલા કહ્યા છે. અને જેઓ જૈન સાધુ ધર્મ સ્વીકાર કર્યા સિવાય કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા છે તેઓને અન્ય લિંગે સિદ્ધ જણાવ્યા છે અને જેઓ જૈન ધર્મના ઉપદેશાનુસારે ગૃહસ્થ ધર્મમાં રહીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે તેઓને અન્ય ગૃહસ્થતિંગે સિદ્ધ જણાવ્યા છે. શ્રી કેવળી પરમાભાએ અવશ્ય સિદ્ધિગતિને પામવાવાળા હેવાથી તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં જ સિદ્ધત્વ જણાવ્યું છે (૫) તીથ : શ્રી તીર્થકર ભગવતેના આત્માઓ તે અવશ્ય (૧) ચ્યવન કલ્યાણક (૨) જન્મ ક૯યાણક (૩) દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાન કલ્યાણક અને (૫) નિર્વાણ કલ્યાણક. એ પાંચે કલ્યાણ કે પામીને મોક્ષે જાય છે. જ્યારે તે સિવાય બીજા બધા જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ મોક્ષે જાય છે. શ્રી તીર્થકર ભગવતેએ પ્રવર્તાવેલા શ્રી તીર્થને અવલંબીને એટલે કે સાધુ, સાધવી યા શ્રાવક અને શ્રાવિકાપણું પ્રાપ્ત કરીને યા તે શ્રી તીર્થનું આલંબન લઈને જે છે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે તેઓને તીર્થ સિદ્ધ જાણવા તેમજ વળી જે તીર્થનું આલંબન લીધા સિવાય પ્રત્યેક બુદ્ધપણું પામી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે તેઓને અતીર્થ સિદ્ધ) મોક્ષે ગયેલા જાણવા. (૬) ચારિત્ર : ચારિત્રગુણ એટલે આત્માએ પોતાના સ્વ-સ્વરૂપમાં જ રમણતા કરવી, તે આ ચારિત્ર ગુણને પ્રાપ્ત કરવા માટે એટલે કે મેહનીયાદિ કર્મોને ક્ષય કરવા માટેને આત્માને જે ચિત્ર-વિચિત્ર–મક્ષ પુરૂષાર્થ. તેના પર્વે (૧) સામાયિક ચારિત્ર(૨) છેદે પસ્થાપનીય (૩) પરિહાર વિશુદ્ધિ (૪) સૂમ-સંપાય (૫) યથાખ્યાત એ પાંચે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy