SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ સૂત્ર-અધ્યાય દશમ (૧૦) मोहक्षयाज्ज्ञान दर्शनावरणान्तराय यक्षपाच्च केवलम् ॥१॥ बन्धहेत्वाभाव-निर्जराभ्याम् ॥२॥ कृत्स्नकर्मक्षयोमोक्षः ॥ ३ ॥ પ્રત્યેક આત્મ દ્રવ્ય (તત્વ) અનંત જ્ઞાનાદિ ગુણે કરી (સંગ્રહનય દષ્ટિએ) યુક્ત છે. પરંતુ અનાદિથી કર્મોના આવરણ વડે લેવાયેલ આત્માઓ સંસારમાં કર્માધીનપણે ચોર્યાસી લાખ છવાનીમાં જન્મ-મરણ કરતાં થકાં ભટકયા કરે છે. તેમાંથી જેઓએ શ્રી વીતરાગ પરમાત્માની વાણીને વેગ પામીને પોતાના આત્મ સ્વરૂપને (શુદ્ધ શુદ્ધ સ્વરૂપે) ઓળખવા રૂપે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરેલ છે, તેવા આમાઓ આમ શુદ્ધથેઆશ્રવ-નિરોધ કરવા માટે શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞાનુસારે (બતાવેલ મોક્ષમાર્ગ પ્રતિ) દેશવિરતિ થી સર્વ વિરતિ ભાવે પ્રવર્તન કરે છે. (અત્રે એ સમજવું ખાસ જરૂરી છે કે છદ્મસ્થ ભાવે ઉપાદાનની ગમે તેવી વિશુદ્ધિ પણ અશુભ નિમિત્તથી બળવત્તાએ, આત્માને પતન તરફ લઈ જાય છે. તે માટે વ્યવહારથી દ્રવ્ય સંવર ભાવનો આશ્રય કરવો જરૂરી છે) આથી તેઓને અંતમુહૂ–અંતર્મુહૂતે અપ્રમત્ત ભાવે શુદ્ધાત્મ સવરૂપને અનુભવ પ્રાપ્ત થતા હોય છે. આ અપ્રમત્તગુણ સ્થાનકે સ્થિર થયેલ આત્મા સમ્યફલ મેહનીય કર્મને ક્ષય કરી, ક્ષાયક સમ્યક્ત્વ ગુણે કરી આઠમા અપૂર્વકરણ ગુણ સ્થાનકે ધર્મધ્યાન તેમજ શુકલ ધ્યાનના પ્રથમ પાયાના ધ્યાન રૂપ તપ ગુણે કરી, પાંચ પ્રકારની આત્મ વિશુદ્ધિએ વધના થકે, નવમે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણ સ્થાનકે મેહનીય કમની બંધ વિચ્છેદતા પ્રાપ્ત કરે છે, અને છેલ્લે બાકી રહેલા સૂક્ષમ લેભના ઉદય સહિત શમે સૂકમ સં૫રાય ગુણ સ્થાનકે આવી ત્યાં છેલ્લે સૂક્ષમ લેભને પણ ક્ષય કરી સીધો (અગિયારમે ઉપશાંત મેહ ગુણ સ્થાનકે ન જતાં) બારમા ક્ષીણ મેહ ગુણ સ્થાનકે જાય છે. આ બારમાં ક્ષીણ મેહ ગુણ સ્થાનકે આવેલા વીતરાગ નિગ્રંથ આત્મા બીજા પાયાના શુકલ યાને કરી અંતર્મુહૂર્તમાં જ આત્મ ગુણઘાતી બાકી રહેલા જ્ઞાનાવરણીયનશંનાવરણીય અને અંતરાય કર્મ એ ત્રણે કર્મોને એકી સાથે સર્વથા ક્ષય કરીને કેવળ (અનંત) જ્ઞાન, કેવળ (અનંત) દર્શન તેમજ અનંત વીર્યગુણ અને ક્ષાયક સમ્યકત્વ ગુણ કરીને સહિત, તેરમું સગી-કેવળી ગુણ સ્થાન પ્રાપ્ત કરે છે. આ તેરમે ગુણસ્થાનકે આવેલ યોગી કેવળી પરમાત્માઓ મુખ્યપણે કેવળજ્ઞાનના ઉપગે (આયુષ્ય કાળ પર્યંત ચાર અઘાતિ કર્મોદય પ્રમાણે) વર્તતા હોય છે. છેલ્લે પિતાનું અંતમુહૂર્ત કાળ આયુષ્ય બાકી Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy