SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના આત્મગુણમાં સ્થિર થવાને પ્રયત્ન કરતા હોય છે. આથી આ ધ્યાન ત્રણે વેગ સંબંધી અન્વય સ્વરૂપ જાણવું. આ પ્રથમ સ્થાન ક્ષાયિક સમ્યફ કરી આઠમા અપૂર્વ ગુણ સ્થાનકથી માંડી બારમાં ક્ષીણમોહ ગુણ સ્થાનકના પ્રથમ ભાગ સુધી જાણવું તે પછી બારમા ક્ષીણમેહ ગુણ સ્થાનકના અંતે બીજું એકવ-વિતર્ક-અવિચાર નામનું વિશુદ્ધ શુકલ ધ્યાન ધ્યાને આત્મા, કેવળ મને વ્યાપારના નિગ્રહપૂર્વક વિકલ્પ (પરભાવ) રહિત કેવળ પિતાને પ્રાપ્ત ક્ષાયિક સમ્યક્ત્વ તેમજ યથાખ્યાત ચારિત્ર ગુણ વિશુદ્ધિએ એકત્ર થઈને. કેવળ પિતાના આત્માને ધ્યાને થકે, બાકીના આત્મગુણઘાતી ત્રણે કર્મોને (જ્ઞાનાવરણય-દર્શનાવરણીય અને અંતરાય કર્મ) એકી સાથે સર્વથા ક્ષય કરતે હોય છે. તે પછી તેરમે ગુણ સ્થાનકે આવેલો સર્વજ્ઞ અને સર્વશી એ તે આત્મા, આયુષ્યકાળ પર્યત સંયોગી કેવલીપણે તેરમે ગુણસ્થાનકે-કેવળજ્ઞાનના ઉપયોગાનુસારે પ્રવર્તન કરતો હોય છે, અત્રે તે કેવલી પરમાત્માને કોઈ દયાન હેતું નથી, તેથી તે કાળને ધ્યાનાંતરિક કાળ કહેવાય છે, કેમકે કેવળી ભગવંતને આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત કાળે પ્રથમ આવકરણ કર્યા પછી જે જરૂર હોય તે તેઓ કેવલી સમુદ્રઘાત કરે છે, (જેનું આઠ સમય માત્રનું સ્વરૂપ શાસ્ત્રથી જાણી લેવું) તે પછી અનુક્રમે બાદરસૂમ મન-વચન અને છેલ્લે કાય યોગને સર્વથા નિરોધ કરવા રૂ૫ (કાય ગ સંબંધી-વ્યતિરિક્ત ભાવે જે (આત્મ-વીર્યને) પ્રયત્ન કરે છે, તેને સૂમ ક્રિયા અપ્રતિપાદિત રૂપ થાન શાસ્ત્રમાં કહેલું છે. (આ લેગ નિરોધ કરવાનું સ્વરૂપ પણ શાસ્ત્રથી જાણી લેવું જરૂરી છે). તે પછી ગ તેમજ શ્વાસેચ્છવાસ રહિત અગી એવા તે પરમાત્મા, પોતાના શરીરના ભાગ પ્રમાણ કેવળ પોતાના સર્વ આત્મ પ્રદેશનાં ધન સહિત, આત્મા પ્રદેશોની એકત્રતાએ, ચૌદમે (અયે ગી-કેવલી) ગુણસ્થાનકે આવી, શૈલેષીકરણ કરી, અર્થાત્ સ્થિર થવા રૂપ બાકી રહેલ સર્વ કર્મોને એકી સાથે ક્ષય કરી, (ચોથા વ્યછિન ક્રિયા નિવૃતિ રૂપ ધ્યાને કરી સર્વથા અશરીરી એવા તે કેવલી પરમાત્માઓ, શીગ્રપણે (એક સમય માત્રમાં) સિદ્ધગતિએ જાય છે અને પરમ મોક્ષપદને સાદ અનંતમે ભાગે પ્રાપ્ત કરે છે. ઉપર જણાવેલ ધર્મધ્યાન તેમજ શુકલ ધ્યાનને અધિકાર પ્રાપ્ત કરનારા આત્માએએ સૌ પ્રથમ તે મેત્રાદિ (૪) ચાર ભાવનાઓથી તેમજ અહિંસાદિ પાંચ મહાવ્રતની (૨૫) પચીસ ભાવનાઓથી તેમજ તત્વાતત્વને વિવેક કરાવનારી અનિત્યાદિ (૧૨) બાર ભાવ નાઓથી ભાવિત હેવું અનિવાર્ય આવશ્યક છે. કેમકે ભાવને તે ધારણુયોગ રૂપ હેઈ ધ્યેય પ્રતિ સ્થિરતા પ્રાપ્ત કરાવનાર છે. તે પછી ધ્યાન ગ વડે આત્મા દયેય પ્રતિ એકાકાર વૃત્તિવાળો બને છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy