SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ 'पुढं सुणेइ सई, एवं पुण पासह. अपुठं तु । गंध रसं च फासं च बद्धं-पुढं विआगरे ॥ અર્થ: કાનની અત્યંતર નિવૃત્તિ તે (શ્રોતેંદ્રિય) શબ્દને કેવળ સ્પર્શ માત્રથી જાણે છે ચક્ષુ, સેય વસ્તુને તે વસ્તુના સંબંધ (સ્પર્શ) થયા વગર (દૂરથી જ) આકૃતિવિશેષથી યા રૂપ વિશેષથી જાણે છે. જ્યારે ધ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ) અને સ્પર્શેન્દ્રિય (શરીરની ચામડી) એ ત્રણે ઇન્દ્રિયે પોત-પોતાના સેયને બધ-પૃષ્ટતા, થકી જાણે છે. હવે મતિજ્ઞાનને અનુક્રમે, વિશેષ વિશેષ છેષ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે અનુક્રમ જણાવીએ છીએ. ઉપર જણાવેલ સ્વરૂપથી તેમજ ૧૯ મા સૂત્રના અર્થથી એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે, પ્રત્યેક જીવ ચક્ષુરિદ્રિય અને મન દ્વારા વરતુ માત્રને ય (વિષય) સંબંધ યા સ્પર્શ થયા વગર જ તેને બંધ કરે છે. આથી તો બને ઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ હેતે નથી. (આ વાત ૧૯ મા સૂવથી સ્પષ્ટ થાય છે.) આથી મન અને ચક્ષુ બને શાકારે અપ્રાપ્યકારી કહી છે. - વ્યંજ તે, અને ત, ઈતિ વ્યંજનાવગ્રહ, આ જ્ઞાન-તે ચાર ઈનિ થકી થતું હોવાથી તેના ૪ ભેદ છે. જ્યારે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન તે-ચાર ઈદ્ધિ ઉપરાંત ચક્ષ અને મનથી પણ થાય છે. તે માટે તેના ૬ ભેટ છે. ‘ઈહા રૂપ મતિજ્ઞાન જેમાં પ્રત્યભિજ્ઞાન તર્ક-અનુમાન તેમજ આગમ પ્રમાણદિનું સવરૂપ અંતર્ગત રહેલું છે તે પણ ઉપર જણાવ્યા મુજબ ૬ ભેટવાળું છે. “અપાય અર્થાત્ નિશ્ચયાત્મક બોધરૂપ મતિજ્ઞાન જેમાં સત્વ ગુણનો પણ સમાવતાર થાય છે, તે પણ ઉપર જણાવ્યા મુજબ ૬ ભેજવાળું છે. ધારણા રૂપ મતિજ્ઞાન, જે અવિસ્મૃતિ, વાસના અને ધારણું રૂપ છે તે પણ ઉપરોક્ત ૬ ભેદવાળું છે. ઉપર જણાવ્યા મુજબ ૨૮ પ્રકારનું મતિજ્ઞાનનું સ્વરૂપ શાસ્ત્રાનુસારે અવધારીને, વળી તે જ્ઞાન સંબંધી સેળમાં સૂવાનુસારી બહુ-બહુવિધ આદિ ૧૨ પ્રકારની વિશેષતા વિચારતાં મતિજ્ઞાનના કુલ ૨૮ ૮ ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. તે બધાને શાસ્ત્રમાં કૃતનિશ્રિત મતિજ્ઞાન કહ્યું છે. અને (૧) પારિણામિકી (૨) વનચિકી (૩) કામિકી અને (૪) ઓત્યાતિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ રૂપ ચાર પ્રકારના અમૃતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદને તે સાથે મેળવતાં મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદો થાય છે. ઉપર જણાવેલ ભેદ પ્રભેદ સંબંધે છત સહ વિશેષ સમજૂતી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy