________________
૧૮૪
માર્ગની ભગવંતની દેશનાનો જૂઠો દૂર ઉપયોગ કરી અજ્ઞાની અને પિતા તરફ આકર્ષવા માટે અનેક પ્રકારના માયાવી માર્ગ અપનાવીને વળી કહે છે કે “મેં માયા તે માયા નથી.” આવા પ્રગટ માયાવી સાધુને એાળખવા માટે શ્રી કલ્પસૂત્રમાં (આચાર સૂત્રમાં) સર્વ શ્રી તીર્થકર ભગવંતના સાધુઓને તેમજ સર્વ ક્ષેત્રના અને સર્વકાળના સાધુએનો આચાર દસ ક૯પથી સ્પષ્ટ જણાવવામાં આવેલ છે જે અત્રે જણાવીએ છીએ.
'आलुक्कुदेशिय सज्जायर रायपिंड किइकम्मे
वय जिट्ठ पडिकमणे, मासं पज्जासवण कप्पो.'
(૧) અચલક ક૯૫ (૨) ઉદ્દેશીક ક૫ (૩) શય્યાતર ક૯૫ (૪) રાજપિંડ કપ (૫) કૃતિકર્મ (વંદન વ્યવહાર) (૬) વ્રત કહ૫ (૭) જયેષ્ઠ ક૫ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) માસ ક૯૫ (૧૦) પસણ (પર્યુષણા) ક૫.
ઉપર જણાવેલા દશે ક૯૫ પ્રથમ તીર્થંકરના વારાના સાધુઓને તેઓ ઋજ અને જડ હોવાથી અનિવાર્યપણે આદરવાના હોય છે તેમજ છેલા શ્રી મહાવીર સ્વામીના શાસનના સાધુઓને પણ તેઓ વિશેષ કરીને વક્ર અને જડ હવભાવવાળા હોવાથી અનિ. વાર્યપણે આદરવાના કહ્યા છે. જ્યારે મય બાવીશ તીર્થંકરના સાધુઓ માટે કતિકર્મ ક૯૫-ત્રત ક૯૫-જયેષ્ઠ કપ તેમજ ચે પ્રતિક્રમણ ક૯૫. એ ચારે ક૯પ અવશ્ય અનિ. વાર્યપણે આચરવાના હોય છે, જ્યારે બાકી છે કે તેઓને માટે નિયત નથી પરત અનિયત છે એટલે તેમને લાગે તે મુજબ આચરે મહાવિદેહ ક્ષેત્રના સાધુને પણ મધ્ય બાવીશ તીર્થંકરના વારાના સાધુએ મુજબ ચાર ક૯૫ નિયત છે અને છ ક૯૫ અનિયત છે એમ જાણવું. આ દશે કલ્પનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી આત્માથી આત્માએ જાણી લેવું અનિવાર્ય આવશ્યક છે.
અ આ ખાસ સમજવું જરૂરી છે કે વ્યવહારથી શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પ્રથમના સમિતિ-ગુપ્તી અને પરિષહ જય એ ત્રીસ ભેદ દ્રવ્ય સંવરના છે, જ્યારે યતિ ધર્મ ભાવના અને ચારિત્ર એ સત્તાવીસ ભેદ ભાવ સંવરના જાણવાના છે, તેમાં દ્રવ્ય સંવર તે જ્યારે નિશ્ચય દૃષ્ટિની સાપેક્ષતાએ ભાવ સંવરનું નિમીત્ત-કારણ બને છે, ત્યારે વિધિપૂર્વકની તે વ્યવહાર શુદ્ધિરૂપ કારણુતા વડે આત્મા નિશ્ચય શુદ્ધિ (આત્મ વિશુદ્ધિ) ને પ્રાપ્ત કરે છે. અન્યથા શુભ વ્યવહાર-સંસાર પરિભ્રમણને હેતુ બને છે. આ માટે
કહ્યું છે કે –
નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરજી, પાળે જે વ્યવહાર, પુણ્યવત તે પામશે, ભવ સમુદ્રને પાર.”
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org