SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રવત્તિરૂપ છે. કેમકે કોઈપણ છદ્મસ્થ મનુષ્ય (જીવ) સર્વથા ગિનિષેધ કરી શકતું નથી. સક્ષમ યોગ પ્રવૃત્તિમાં શુદ્ધ ઉપયોગે વર્તતા માને, બાહ્ય ભાવની નિવૃત્તિની અપેક્ષાએ. ગુપ્તી ધર્મમાં જાણ યુક્ત છે; પરંતુ જેમાં સમિતિધર્મ પણ નથી, તેવી શુભયોગ પ્રવૃત્તિને અશુભની નિવૃત્તિ જણાવીને, બાહ્ય શુભ પ્રવૃત્તિને ગુપ્તિધર્મ રૂપે જેઓ અજ્ઞાની અને યેનકેન પ્રકારે સમજાવી રહ્યા છે, તેઓને ઉસૂત્રભાષી-ઉન્માર્ગગામી જાણવા જરૂરી છે. અત્રે એટલું ખાસ સમજવાની જરૂર છે કે ગુપ્તિધર્મ યોગ નિરોધરૂપ છે, જયારે સમિતિધર્મ સમ્યગ પ્રવૃત્તિરૂપ છે. અત્રે સૂત્રકારે પણ શાસ્ત્રનુકારે બંનેને જુદા-જુદા કહ્યા છે તથાપિ શાસ્ત્રમાં પ્રથમ સમિતિધર્મનું સ્વરૂપ જણાવેલ છે. જ્યારે અત્રે સરકારે પ્રથમ ગુપ્તિમને જણાવેલ છે, તેનું નયદાષ્ટએ નીચે મુજબ સમાધાન કરવું જરૂરી છે. વ્યવહારનય દષ્ટિએ પ્રથમ સાધનધર્મરૂપ સમિતિધર્મ વડે સાધ્ય ધર્મરૂપ ગુપ્તિધર્મ સધાય છે. એમ જાણવું. અર્થાત્ ગુપ્તિધર્મ તે ઉત્સર્ગમાર્ગરૂપ છે. જ્યારે સમિતિધર્મ તે અપવાદ માર્ગરૂપ છે. જો કે ઉત્સર્ગ અને અપવાદ બંને પરસ્પર સાપેક્ષ જ હોય છે. એટલે નિશ્ચય નયદષ્ટિએ કર્તાના અભિપ્રાયમાં પ્રથમ સાધ્યરૂપે ગુપ્તિધર્મ પ્રાપ્ત થતાં જ વ્યવહારમાં પ્રથમ શક્તિ અનુસાર સાધન ધર્મ તે સમિતિધર્મનું આચરણ કરવા વડે સાધ્યધર્મ તે ગુપ્તિધર્મમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરવા લાગી જાય છે, કેમકે તે ગમે તે આશ્રવ૩૫ જાતે હોય છે; આ રીતે સ્વાદુવાદ દષ્ટિએ નિશ્ચય-વ્યવહારનય સંબંધે સાધ્ય સાધનભાવને પૂર્વાપર અવિરૂદ્ધ ભાવે વિચાર યોગ્ય છે. આ માટે કહ્યું છે કે “નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરી, પાલે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર.” વળી પણ કહ્યું છે કે ભાવ અાગી કરણ રૂચી, મુનિવર ગુપ્તિ ધરંત, જઈ ગુપ્ત ન રહી શકે, તે સમિતે વિચરંત.” ईर्या भाषेषणादान निक्षेपोत्सर्गाः समितयः ॥५॥ (૧) ઈર્ષા સમિતિ પિતાના વ્રત-નિયમને બાધ ન આવે તે રીતે ગમનાગમન કરવું તે. જ (૨) ભાષા સમિતિ: શ્રી જિન ભાષિત અર્થથી વિરૂદ્ધ ન બેલાઈ જાય તેની સાવધાની પૂર્વક બોલવું તે. (૩) એષણા સમિતિઃ ચાર અદત્ત, (તીર્થકર અદત્ત, ગુરૂ દત્ત, સવામી અદત્ત, જીવ અદત્ત) ટાળીને, સંયમના નિર્વાહને અર્થે આહાર-પાણી વિગેરે ગ્રહણ કરવાવાપરવા તે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy