SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬s અવશ્ય સૌ પ્રથમ પિતાના શુદ્ધાશુદ્ધ આત્મસ્વરૂપનું યથાતથ્ય જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત કરી શાસ્ત્રાનુંસારી યથાયોગ્ય વિધિ માર્ગે પોતાના આત્મશુદ્ધિના માગે નિઃશંકભાવે આત્માર્થ સાધવા પ્રયત્ન કરી જોઈએ. આજ ઉત્તમ મનુષ્યભવ પામ્યાની ફલશ્રુતિ જાણવી, નહિ કે ગતાનું ગતિતાએ ધર્મ કરે, તે માટે હવે તવાર્થકાર, આત્મદશી આત્મા માટે આત્મશ્રેયાર્થે સંવર તત્વને આશ્રય લેવા માટે, તેનું શાઆનુસારે કિંચિત સ્વરૂપ જણાવે છે. स गुप्ति समिति धर्मानुप्रेक्षा परीषह जय चारित्रैः। ॥२॥ ઉપર જણાવેલ સંવર-તત્વ (૩) ગુપ્તિ (૫) સમિતિ (૧૦) યતિધર્મ (૧૨) ભાવના (૨૨) પરિષહ-જય તેમજ (૫) પાંચ પ્રકારના ચારિત્રગુણ મળી કુલ શાઆનુંસારી સત્તાવન (૫૭) ભેટ સ્વરૂપે જાણવું. तपसा निर्जरा च ॥३॥ ઉપર જણાવેલ દ્રવ્યસંવર તેમજ ભાવસંવર પરિણામમાં આત્માને નિષ્કામબુદ્ધિએ. જે પરભાવનો ત્યાગ કરવાને, એટલે જેટલે અને જેવો જેવો આત્મ પરિણામ હોય છે, તે ભાવે તે જીવ પૂર્વ સંચિત કર્મોને (જે આત્માની સાથે સત્તાએ બંધાયેલા પડયા છે (વિવિધ પ્રકારે ક્ષય (નિર્જરા) કરે છે, તેને નિર્જરા તવ જાણવું. આ નિર્જરા તત્વ યાને તપ (ત્યાગ રૂ૫) ધર્મના બાહ્યભાવના છ ભેદ તેમજ અત્યંતર ભાવના છ ભેદ એમ કુલ મળી બાર ભેદ શાસ્ત્રમાં નીચે મુજબ જણાવેલ છે. (૧) અનશન, ઉરિકા, વૃત્તિ ક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલિનતા આ છે ભેદ બાહ્યત૫ના જાણવાનાં છે કેમકે તે મુખ્યત્વે બાહ્યદેષોને દૂર કરવા સ્વરૂપ છે. (૨) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સઝાય-દથાન અને ઉત્સર્ગ આ છ ભેદ અત્યંતર તપના છે. કેમકે તે થકી મુખ્યત્વે કષાયાદિ દેને દૂર કરવામાં આવે છે. ઉપરના બંને બાહ્ય-અત્યંતર તપના–બારે ભેદોનું, નયદૃષ્ટિએ પરસ્પર સાપેક્ષપણું હોવાથી, તેઓ થકી નિચેથી કર્મક્ષય થાય છે. એમ જાણવું. વિશેષ જણાવવાનું કે, જે તપ સમતાપૂર્વક કરવામાં આવેલ હોય છે, તે થકી તે આત્માના નિકાચિત કર્મના બંધને પણ તુટી જાય છે; એમ શાસકારોએ સ્પષ્ટ જણાવેલ છે. सम्यग्योग निग्रहो गुप्तिः ॥ ४॥ સમ્યગુભા યોગનો નિગ્રહ (નિધિ) કરે તે ગુપ્તિધર્મ છે અર્થાત્ સમ્યગુભાવે મનને નિરોધ કરવો તે મનગુતિ વચનને નિરાધ કરે તે વચનગુપ્તિ અને કાયમનો નિરોધ કરવો (સ્થિર રહેવું) તે કયગુપ્તિધર્મ જાણો. અત્રે કેટલાક આચાર્યો બે પ્રકારના સામગ અને બાદર વેગને સાથે લઈ કહે છે કે, સૂમિયોગ સંબધે, ગુપ્તિધર્મપણ સમ્યગુ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy