SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પરિણમન ભાવનું કવ-ભકતૃત્વ કે જ્ઞાતૃત્વ હોઈ શકે નહિ–હતું પણ નથી. વળી જીવ અને પુદ્દગલ એ બે ને સંગ સંબંધે (વ્યવહારથી) પરિણામી જણાવ્યા છે. આ વાત પણ જગત્ સ્વરૂપે પ્રત્યક્ષ અવિરોધી છે. તેમ છતાં યોગ-ક્રિયા અને તેથી થતે કર્મબંધ તે આત્માનું સ્વરૂપ નથી, અર્થાત તે આત્મા દ્વારા કરાતુ કમ નથી, એમ કહેનારા મિથ્યાવાદીએ શું એમ કહી શકે તેમ છે, કે યોગ એ કેવળ અજીવ દ્રવ્ય (પુદ્ગલ) નું કાર્ય છે, અત્રે સ્યાદ્વાદનું અવધારણ અનિવાર્ય આવશ્યક છે. આ સંબંધે વિશેષમાં જણાવવાનું કે અમે એ પ્રકાશિત કરેલા શ્રી જૈન ધર્મ અને સ્વાદુવાદ યાને “ત્રિકાળાબાધિત સાપેક્ષ સત્ય એ નામની પુસ્તિકામાં એકસોને આઠ (૧૦૮) પ્રશ્નોત્તરીમાં બાસઠ (૬૨) મા પ્રશ્નોત્તરમાં નીચે મુજબ જણાવેલ છે તે સુજાએ વિચારવું જરૂરી છે. પ્રશ્ન (૬૨) સર્વજ્ઞ અને સર્વદેશી શ્રી વીતરાગ પરમાત્માએ અનાદિ-અનંત જગતના સમસ્ત ત્રિવિધ શુદ્ધાશુદ્ધ સ્વરૂપમાં સ્વાદ થકી જણાવેલ અને છધસ્થ ગણધર ભગવંતોએ રચેલા નય પ્રમાણ સાપેક્ષ શારા વચનમાં યથાર્થ અવિરૂદ્ધતા કેવી રીતે જવી? ઉત્તર : (૬૨) જે કોઈપણ શાઅ વચનથી પિતાના આમાએ (૧) પૂર્વે બાંધેલા કર્મોની (૨) ઉદયમાં આવેલા કર્મોની (૩) ભેગવાતાં (રદયથી તેમજ પ્રદેશદયથી) કર્મોની (૪) વર્તમાનમાં શુદ્ધાશુદ્ધ બાહ્ય તેમજ અત્યંતર ભાવે કરાતા કર્મોની (૫) બાહ્ય સ્થૂલ સ્વરૂપે પ્રસિદ્ધિ રૂપે પ્રગટ દર્શાવતા કર્મોની (૬) નવા બંધાતા કર્મોની () નિ જરા કરાતા કર્મોની એ સખવિધ કર્મોની યથાર્થતા સાથે અવિરૂદ્ધ ફળ સ્વરૂપતા પણ સમજાય, તેને સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વીતરાગ પરમાત્માઓની અર્થ દેશનાની સાથે યથાથ-અવિરૂદ્ધતા જાણવી. ઉપર જણાવ્યા મુજબ નિશ્ચય શુદ્ધ આત્મતત્વ તેમજ અનાદિથી કર્મ સંગી નિશ્ચયથી અશુદ્ધ આત્મતત્ત્વ તેમજ શુદ્ધ નિશ્ચય સાપેક્ષ શુદ્ધ વ્યવહાર તેમજ અશુદ્ધ નિશ્ચય સાપેક્ષ અશુદ્ધ વ્યવહાર તેમજ નિશ્ચય નિર્પેક્ષ (ઉપગ શૂન્ય) શુભાશુભ વ્યવહાર (ાગ પ્રવૃત્તિ) માં જેઓ અજ્ઞાની અને મૂઢ છે, તેવા પાખંડી-જૈન ભાષાઓ શુદ્ધ આત્મતત્ત્વ સંબંધે અનેક પ્રકારની ચમત્કારિક વાતો કરીને ભેળા અજ્ઞાની ધમધ અને પોતાની માયાજાળમાં હમેશાને માટે ફસાવતા હોય છે. આ માટે આત્માદશી – આત્મલક્ષી-આત્માથી આત્માઓએ શુદ્ધ આત્મતત્વનું જે સ્વરૂપ સિદ્ધાંતમાં શ્રી સિદ્ધ ભગવતે જણાવેલ છે. તેને જ સાધ્યમાં રાખી સાધના કરવી યોગ્ય છે. અન્યથા ઉન્માર્ગ ગામીતા પ્રાપ્ત થશે તેમ સમજવું. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy