SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અધિકરણ આધાર : સમ્યકત્વને આધાર આત્માને મેક્ષાભિલાષ રૂપ પરિણામ છે. (૫) સ્થિતિ : જઘન્યથી અંતમુહૂત કાળ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરપમ કાળથી કંઈક અધિક કાળ ક્ષાપથમિક સમ્યક્ત્વને છે. ઉપશમ સમ્યકૃત્વને કાળ માત્ર એક અંતમુહૂર્ત છે. ક્ષાયિક સમ્યફ અક્ષય હેવાથી સાદિ અનંત છે. (૬પ્રકાર (ભેદ) : સમ્યફ ભાવ (પરિણામ) ના આમ તે અસંખ્ય ભેદો છે. તેમ છતાં શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર અને પાંચ પ્રકારના સમ્યફવનું સ્વરૂપ વિસ્તારથી જણાવેલ છે. તેનું નામ (૧) ઓપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાપશમિક () સારવાદન (૫) વેદક તેમજ વિશેષ સમ્યક્ત્વના સડસઠ બેલ પણ ખાસ અવધારવા જરૂરી છે. (૦) સદ્દભૂતતા : આ જગત મુખ્યપણે જીવ દ્રવ્યો અને અજીવ દ્રવ્યની રાશી (સમુહ) રૂપે અનાદિ (અનુત્પન્ન) અને અનંત (અવિનાશી) છે. તેમાં જીવતવના બે ભેદ છે. (૧) સિદ્ધ (મોક્ષ) ના છે (૨) સંસારી જી. સિદ્ધના છએ આઠે કર્મોનો ક્ષય કરી, પોતાની અનંત આત્મસત્તાને કર્મના બંધનથી છેડાવી, સ્વાધીન કરેલી હોવાથી તેઓ સાદિ અનંતમે ભાંગે, સચ્ચિદાનંદ સ્વરૂપમાં, સદાકાળ રમણતા કરતાં થક, અનંત સ્વાભાવિક સુખના ભક્તા છે. જ્યારે સંસારી જીવે આઠે કર્માનુસારે ચાર ગતિ (નારકી, તિર્યચ, મનુષ્ય, દેવતા) માં જન્મ-મરણના દુઃખ ભાગવતાં રહે છે. આ સંબંધે જણાવવાનું કે જે કોઈ ભવ્ય આતમા સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરે છે, તે આત્મા તે સમ્યક્ત્વ ગુણ થકી, માક્ષ પુરૂષાર્થ કરી, પિતાના આઠે કર્મોને ક્ષય કરી, મેક્ષ પ્રાપ્ત કરે છે. આવા અનંતા જીવે મેક્ષે ગયા છે, આજે પણ જાય છે, ભવિષ્યમાં પણ જશે, (૮) સંખ્યા : ચારે ગતિમાં રહેલ, પરંતુ જેણે સંસી-પંચેન્દ્રિય-પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરેલ છે તેવા જી પૂર્વે જણાવ્યા મુજબ, નિસગથી તેમજ અધિગમ (આત્મતત્વના અભ્યાસ)થી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. તેથી આવા અનેક ચારે ગતિમાં હોય છે તેમના ગે “સંત જ્ઞા રેષ TMા મવત્તિ' એ ન્યાયે) બીજા અનેક જીવો પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા હેય છે. (૯) ક્ષેત્ર : પૂર્વે જણાવ્યા મુજબ ચારે-ગતિમાં સમ્યગૃષ્ટિ હોય છે. પરંતુ તેઓ સમસ્ત લોકાકાશ ક્ષેત્રમાં (ચૌદ રાજલક પ્રમાણના) અમુક જ સ્થાનમાં પ્રાપ્ત થતાં હોવાથી તેઓ લોકાકાશના અસંખ્યાતમાં ભાગમાં જ પ્રાપ્ત થઈ શકે છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy