SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વહુ સ્વરૂપને અયથાર્થ પણે જણાવવાથી તેમજ જે વચને બોલવા થકી આત્મા ઉપર જણાવેલા પ્રમાદમાં પડે તેવા વચને બોલવા તે હિંસાના કારણરૂપ હોવાથી અર્થાત્ આત્માને અહિતકર હોય તેવા વચન ન બેલવા તે રૂપ બીજું વ્રત જાણવું. () પર વસ્તુનો (જેને માલીક પિતે નથી) તેવી વસ્તુને (દ્રવ્યને) સ્વીકાર કરવો નહિ. (લેવી નહિ કેમકે તેથી પણ હિંસાદિ દોષ લાગે છે. (૪) પાંચે ઈન્દ્રિયોના વિષય-ભેગમાં–શુભાશુભતાને સંકલ્પ કરો. તેમજ વળી તેમાં રાગ-દ્વેષ કરે તે અબ્રહ્મચર્ય ષથી હિંસાદિ દે લાગે છે, તે માટે તેમ કરવું નહિ. (૫) આત્માને આત્મ-સ્વરૂપમાં સ્થિર રાખનારા આત્માના જ્ઞાનાદિ ગુણે સિવાય અન્ય પર-પુદ્ગલાદિ અછવદ્રવ્યોમાં આત્મોપકારિતા વિચારી તે મેળવવાને અભિલાષ કરવાથી તેમજ તેને સંગ્રહ કરવાથી પણ હિંસાદિ થાય છે. એમ જાણી તેથી અળગા રહેવા પ્રયત્ન કરે જોઈએ. ઉપર જણાવેલ પાંચે વ્રતનું યથાર્થ પાલન કરવાથી આત્મા આવતા કર્મોને રોકીને (આશ્રવના દ્વાર બંધ કરવા વડે) ભાવ સંવરપણા વડે પૂર્વ સંચિત કર્મોને પણ તપ ગુણે કરી શીધ્રપણે ક્ષય કરી મોક્ષ સુખને પામવાવાળે થાય છે. આ માટે વ્રતનું યથાર્થ પાલન કરવા માટે મેક્ષાથી આત્માએ સૌ પ્રથમ ત્રણ શલ્યથી રહિત થવું જરૂરી છે. (૧) માયા શલ્ય (૨) નિયાણ શલ્ય (૩) મિથ્યાત્વ શલ્ય. ત્રીજુ મિથ્યાત્વ શય જય હેય છે ત્યાં પહેલાના બે માયા અને નિયાણ શલ્ય હોય છે જે તે માટે મિથ્યાત્વશલ્યને સૌ પ્રથમ દૂર કરીને માયા અને નિયાણશયથી અળગો રહેનાર આત્મા સા વતી બની, ઉપર જણાવ્યા મુજબ મેક્ષ સુખને પામી શકે છે. ઝાઈનર છે ૨૪ अणुव्रतोऽगारी ॥ १५॥ ઉપર જણાવેલ પાંચે વ્રતે વડે આશ્રવ દ્વારને રોકીને (કર્મ–આવવાના રસ્તાઓને બંધ કરીને) સંવરભાવમાં રહેવા માટે દરેક જીવની એક સરખી વૃત્તિ હોતી નથી. તેથી તેના મુખ્ય બે ભેદ શાસ્ત્રોમાં જણાવેલ છે. (૧) અગારી એટલે આગારી છે એટલે કે જે છે પિતાના ઘરમાં (નિયત સ્થાનમાં) તેમજ કુટુંબ પરિવાર સાથે રહીને પાંચે વ્રત પાળવા ઉત્સુક થયેલા હોય છે, તેવા છે તે પાંચ વ્રતને સ્થલ થકી-દેશથી ગ્રહણ કરે છે. તેને શાસ્ત્રોમાં અણુવ્રતી કહેલ છે. અને (ર) અણગારી એટલે જે છે પિતાના ઘર બારને ત્યાગ કરીને અનિયત સ્થાનમાં રહી, તે પાંચે વ્રતને સર્વથા પાલન કરવારૂપે સ્વીકાર કરીને સાધુ થઈને, તેનું યથાર્થ પાલન કરે છે તેઓને મહાવ્રતી (સાધુ) કહેવામાં આવે છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy