SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ (૬) સ્યાત નાતિ અવકતવ્ય-પૂર્વે જણાવેલ બીજા ભંગના સ્વતઃ તેમજ પરતઃ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાત્મક પદાર્થના ચારે નાસ્તિત્વ સ્વરૂપને તેમજ સામાન્યથી અર્થાત્ મુખ્યપણે તે ચારે નાસ્તિવતાને પણ ભિન્ન ભિન્ન કવરૂપે સામાન્ય ભાવે ગૌણ પણે કહી શકાય છે. તે સ્વરૂપને જણાવનાર આ છઠ્ઠો સ્થા-નાસ્તિ અવક્તવ્ય ભાંગે જાણ. (૭) સ્યાત અસ્તિ-નાસ્તિ યુગપત્ અવકતવ્ય-પૂર્વે જણાવેલ દ્રવ્યના (પદાર્થના) ત્રીજા ભંગને પણ એટલે કે તે સ્વરૂપને ઉભય દ્રવ્ય (પદાર્થ)ને પર્યાય ધર્મ હોવા છતાં તેને ભિન્ન-ભિન્ન સ્વરૂપે એકી સાથે એક જ શબ્દથી મુખ્ય પણે કહી શકાતું નથી. એટલે આ ભંગાણું કર્યાચિત્ હોવાથી સામાન્યથી તે તે ઉભય દ્રવ્યાત્મક પર્યાયને સાપેક્ષ ભાવે કથંચિત્ સ્વરૂપે કહી પણ શકાય છે એમ જાણવું. અન્યથા પદાર્થને યથાર્થ—અવિરૂદ્ધ બંધ પ્રાપ્ત થઈ શકે નહિ. આથી સ્પષ્ટ સમજાશે કે દ્રવ્યમાં એકી સાથે. એકી સમયે રહેલા અનંતા આવિર્ભાવ પામેલા ધર્મો તેમજ અનંતા તીરે ભાવે રહેલા ગુણધર્મો (જે-તે દ્રવ્યનું સ્વરૂપ છે) તેને અવિરૂદ્ધ ભાવે એટલે કે દ્રવ્યમાં રહેલા કેઈપણ ધર્મને અપલાપ (ઉચ્છેદ) ન થાય તે રીતે યથાર્થ-અવિરૂદ્ધ ભાવે (જે નય દષ્ટિ) કહેવામાં આવે છે. તેને “ઉતાતિ વિષે” એ સૂત્રને અર્થ લાગુ પડે છે. આથી જ મૃષાવાદના ત્યાગીઓ સર્વત્ર દ્રવ્યનું સ્થાત્ એટલે કથંચિતપણે ધ્યાનમાં રાખીને નય સાપેક્ષ ખરૂ પણ કરતાં હોય છે. स्निग्धरुक्षत्वाद्वन्धः ॥ ३२ ॥ न जघन्यगुणानाम् ॥ ३३ ॥ गुणसाम्ये सदृशानाम् ॥ ३४ ॥ द्वयधिकादि गुणानाम् तु ॥३५ ।। बन्धे समाधिको पारिणामिकौ ॥ ३६॥ આ પાંચે સૂત્રોના અર્થમાં પૂર્વાચાર્યોએ અનેક પ્રકારના અર્થો કહેલા છે, પરંતુ જે અર્થ ત્રિકાળાબાધિત હોય તે પ્રમાણ માન જોઈએ. મુખ્યતયા આ સૂત્ર પુદગલ દ્રના પરમાણું તેમજ સ્કૉના એકબીજા સાથે મળવા (સંબંધ પામવા)ની હેતતાએ જણાવનાર છે, જે ખૂબ જ અગત્યતાવાળા છે. આથી અમે પણ આ સૂત્રના પૂર્વાચાર્યના અર્થને જણાવી અમારે જે કાંઈ કહેવું છે તે પણ અત્રે જણાવીશું. પ્રથમ તે પુદગલ-પરમાણુ યા સ્કંધ પરિણામને કેઇ એક બીજા પરમાણુ સાથે યા સ્કંધ સાથે જે બંધ (સંબંધ) એટલે કે એકરૂપતા થાય છે. તેમાં મુખ્યત્વે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy