SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અઢીદ્વીપની બહારના ક્ષેત્રમાં આવેલા અસંખ્યાતા સૂર્યો-ચંદ્રો સ્થિર છે. એટલે કાયમ માટે જ્યાં દિવસ ત્યાં દિવસ રહે છે અને રાત્રિ હેય છે ત્યાં કાયમ માટે રાત્રિ હોય છે. આ શાશ્વત રવરૂપમાં પણ કઈક ઠેકાણે કાળે કરી કથંચિત્ કેટલાક સામાન્ય ફેરફાર પણ થતા હોય છે. જેમ શાશ્વત શત્રુંજય ગિરિ સંબંધમાં શાસ્ત્રમાં જણાવેલ છે. વિશેષથી બૃહત્ સંગ્રહણી આદિ અન્ય ગ્રંથોથી જાણી લેવું. આઠમા નંદીશ્વર દ્વીપમાં ચારે દિશામાં આવેલ કુલ પર પર્વતે ઉપર આવેલ શાશ્વત રયોને વિષે શ્રી તીર્થકર ભગવંતના કલ્યાણ કે માં દેવે અઠ્ઠાઈ મહત્સવ કરવા જાય છે. તેમજલધિધર-મુનિભગવંતે પણ રૌત્ય દર્શનાર્થે ત્યાં જાય છે. અઢી કપમાં કુલ ૫ મેરૂ પર્વત, ૩૫ ક્ષેત્રે, ૩૦ વર્ષધર પર્વત, ૫ દેવગુરૂ અને ૫ ઉત્તરકુરૂના ક્ષેત્રે આવેલા છે. આ રીતે કુલ ૪૫ ક્ષેત્ર સાથે, વળી લવણ સમુદ્રમાં ફેલાએલી આઠ દાડાઓમાં એક ઉપર સાત ક્ષેત્રો મળી કુલ ૮૪૭ = ૫૬ અંતરદ્વીપનાં ક્ષેત્રે આવેલા છે, આમ કુલ મળી ૧૦૧ મનુષ્ય ક્ષેત્રે છે. મહાવિદેહ ક્ષેત્રની ૮-૮ વિજયની આજુબાજુ કિરવા જેવી વેદિકાઓ આવેલી છે, અને તે બે-બે વેદિકાઓની વચમાં ૮ વિજય, ૪ પર્વત અને ૩ નદીઓ આવેલી છે. જંબુદ્વીપ ઉપરનાં લવણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ કેન્દ્રમાં ૧-૧ કળશ આકારનાં ઊંડા મેટા ખાડાઓ છે, જેને પાતાળ કળશા કહેવાય છે. આ કળશામાં દર ૧૪ મુહુર્ત = ૧૧ કલાકે અંદરથી વાયુ પ્રકોપ થતે હેઈ સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. અન્ય સમુદ્રમાં આવા પાતાળ કળશા નથી. વળી લવ સમુદ્રનાં જ વિદિશાના મધ્ય કેન્દ્રમાં ૧-૧ પર્વત આવેલ છે. જેને અનુલંધર પર્વત કહે છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વત જૈન વીત્ય આવેલ છે. ચારે પાતાળ કળથાની ડાબી બાજુએ ૧-૧ વેધર પર્વત પણ આવેલ છે. એની ઉપર પણ ૧-૧ શાશ્વત જૈન શ્રેય આવેલ છે. શ્રી જૈન શાસન માન્ય શાસ્ત્રાધારે હાલમાં જણાવ્યા મુજબ જાવું કે શરીરને ઉ સેંધાગુણે માપવું. ઘ-કૂવા-તળાવ વિગેરે આત્માંશુલે માપવાં. પૃથ્વી-પર્વત-સમુદ્રો અને દેવવિમાન વિગેરેને પ્રમાણગુલે માપવાં, આમાંગુ અનિયત જાણવું, ૬ ઉસે ગુલે = ૧ પાર (ભાગની પાનીની પહોળાઈ) ૨ પાદે = ૧ , ૨ વેંત = ૧ હાથ, ૨ હાથ = ૧ કુક્ષિ, ૨ કુક્ષિ = ૪ હાથ = ૧ ડ = ૧ ધનુષ્ય, ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગ ઉં, ૪ ગાઉ = ૧ જન. જંબુદ્વીપનું કુલ ક્ષેત્રફળ ૭૯૦,૫૬,૮૪,૧૫૦ એજન ૧ ગાઉ ૬રો હાથથી કઈક અધિક છે. વળી ઉત્તર દક્ષિણ ૧ ખંડવા પ્રમાણ ભરત ક્ષેત્રનું કુલ ક્ષેત્રફળ ૩૦,૩૨,૮૮૮ રોજન ૧૨ કલાનું જાણવું. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy