SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નગરજનો! આ રાજાનો વ્યાધિ રાત્રિભોજન વિગેરે વ્રતમાં દ્રઢતાવાળા શ્રીપુંજના હસ્તસ્પર્શથી જ જશે, બીજો કોઈપણ ઉપાય નથી. તેથી શ્રીપુંજ કોણ છે? ઈત્યાદિ વિચારમાં પડેલા પ્રધાનોને કોઈએ કહ્યું કે આ નગરમાં એક નિર્ધન બ્રાહ્મણપુત્ર પોતાના નિયમની દ્રઢતાથી ૩ દિવસની લાંઘણવાળો છે તે જ હશે તેથી સંભાવના માત્રથી પણ તેને બહુ આદરપૂર્વક બોલાવ્યો. તેણે આવી ઉદ્ઘોષણાપૂર્વક કહ્યું કે - જો મારા રાત્રિભોજનના નિયમનું માહાભ્ય હોય તો આ રાજાની વેદના સર્વથા શાંત થાઓ. એમ કહી પોતાના હસ્તસ્પર્શમાત્રથી રાજાને સાજા કર્યા, તેથી તુષ્ટ થયેલા રાજાએ શ્રીપુંજને ૫૦૦ (પાંચસો) ગામના અધિપતિ બનાવ્યો અને શ્રીપુંજના ઉપદેશથી રાજા તેના પિતા વગેરે અનેક બીજા ઘણા નગરજનો રાત્રિભોજનાદિકના નિયમવાળા થયા. એ પ્રમાણે ધર્મની પ્રભાવના કરી શ્રીપુંજ અને શ્રીધર બંને સૌધર્મકલ્પ દેવ થયા, ત્યાંથી અનુક્રમે ત્રણે મિત્ર મુક્તિપદ પામશે. ૧૪. અતિચાર અને સ્તુતિ શ્રાવકના પાક્ષિક અતિચારના સાતમા વ્રતમાં રાત્રિભોજન ત્યાગનો પરોક્ષ રીતે ઉલ્લેખ થયો છે. રાત્રિભોજન કીધાં, લગભગ વેળાએ વાળું કીધું, દિવસ વિણ ઉગે શીરાવ્યા. ઉપરોક્ત માહિતી રાત્રિભોજન ત્યાગનો સંદર્ભ દર્શાવે છે. કવિ જીવવિજયજીની વીર જિન સ્તુતિમાં રાત્રિભોજનના ફળનો ઉલ્લેખ થયો છે. દિક ઉ ર થી રીફ હિ કિ ક વીક રિ ઈ ટ ક ક છ | (૩૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy