SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ બિર ક ક ક ક કિ કિ હિ કિ ક ક ટ કિ કિ કિ ક ક ક ક | રાત્રિભોજન વિશે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના પ્રકાશ-૩ના શ્લોકો અનુવાદ સહિત પ્રગટ કરવામાં આવ્યા છે. પૂ.શ્રીએ જૈનેત્તર દર્શનના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો છે. સંપાદક : પં. પ્રવિણવિજયજી (પા. ૭૨ થી ૮) રાત્રિભોજનથી થતા નુકસાનો અનેક પાપસ્થાનકો પૈકી રાત્રિભોજન પણ એક પાપનું જ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે. જે જીવો ગમે તેવા જબ્બર પ્રકાશમાં પણ દેખી શકાતા નથી. રાત્રો ખાનારના ભાણાંમાં તે જીવો ઊડાઊડીને પડે છે, અને મરણને શરણ થાય છે. તે સઘળા જીવોની હિંસાનું પાપ રાત્રિભોજન કરનારને લાગે છે. તે પાપના પ્રભાવે રાત્રે ખાનારાઓને આવતા ભવમાં ગીધ, સમડી, બીલાડા, કાગડા આદિની નીચે યોનિમાં જન્મ ધારણ કરવો પડે છે. તે અવતારને પામેલા પશુ-પક્ષીઓ મોટે ભાગે માંસનો જ આહાર કરનારા હોય છે, એટલે ત્યાંથી મરીને તેઓ નરક ગતિમાં ચાલ્યા જાય છે. આથી એ પણ સિદ્ધ થાય છે કે રાત્રિભોજનને કરનારો સીધો નરકમાં નહિ જાય પરન્તુ તિર્યંચ ગતિમાં જઈને પરંપરાએ પણ નરકનો મહેમાન થાય છે. આવી રીતે તિર્યંચ અને પરંપરાએ નરકગતિને અપાવનારા રાત્રિભોજનને કયો સુજ્ઞ પુરૂષ તિલાંજલિ નહિ આપે? રાત્રિભોજનનો ત્યાગ ધર્મદષ્ટિએ હિતકર છે. એટલું જ નહિ પરન્તુ આરોગ્યતાની દૃષ્ટિએ પણ તે સૌને અત્યંત હિત કરનારો જ છે. રાત્રિભોજન કરનારાઓને શારીરિક નુકશાન શું થાય છે, તેની નોંધ લેતા કલિકાળ સર્વજ્ઞ ભગવાન પૂજય હેમચંદ્રાચાર્ય મહારાજ હિટ ર ર ર ર ર ર ર ર ર ર ર ક જ છી છી છી |િ (૨૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy