________________
ખૂબ સરળ છે. ધર્મના નેતાઓએ પ્રજાની ભાવનાનો દુરુપયોગ કર્યો છે. તેમની સામે પ્રશ્ન ધર્મનો નહોતો, પ્રશ્ન હતો પોતાના અહંકાર અને મમકારના રક્ષણનો. તેનું રક્ષણ હિંસા દ્વારા થઈ શકે છે. ધર્મ તો અહિંસા છે. તેનું રક્ષણ હિંસા દ્વારા કઈ રીતે શક્ય બને? “મારો ધર્મ વ્યાપક બને, તમામ લોકો મારા ધર્મના અનુયાયી બને' – એવા ચિંતનના આધારે અનેક રાજાઓએ પ્રજાનું ઉત્પીડન કર્યું. ધર્મ હૃદયપરિવર્તન સાથે જોડાયેલો છે. તેને બળપ્રયોગ સાથે જોડી દેવામાં આવ્યો. તેની સંગતિ શાસ્ત્ર સાથે હતી, પરંતુ તેની સંગતિ શસ્ત્ર સાથે કરી દેવામાં આવી. આ મનોવૃત્તિએ ધર્મના આત્માને જ ધ્રુજાવી દીધો. અધર્મ અને ધર્મ વચ્ચેની ભેદરેખા જ ક્ષીણ થઈ ગઈ. જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે. જ્યાં હિંસા છે ત્યાં અધર્મ છે. ધર્મ અને અધર્મની વચ્ચે આવી ભેદરેખા હતી. ધર્મના રક્ષણ માટે હિંસાની વાત થતી હોય ત્યાં આવી ભેદરેખા શી રીતે ટકી શકે ?
ધર્મ, ધર્મ છે
ધર્મનું પ્રથમ સૂત્ર છે – અહંકાર અને મમકાર, હું અને મારાપણું – એવા ભાવથી મુક્ત થવું. આ સૂત્ર ઉપર અમલ કરવામાં ન આવ્યો. ધર્મના નામે અહંકાર અને મમકારને પોષણ આપવામાં આવ્યું. “મારો ધર્મ' આ સંબંધ સ્વસ્થ ન રહ્યો. ધર્મ સાથે “તારું-મારું' એવો સંબંધ ન હોઈ શકે. આ તો આધ્યાત્મિક તત્ત્વ છે. તારું-મારું એ સંબંધ ભૌતિક છે. ધર્મ, ધર્મ છે. એમાં તારું-મારું નથી હોતું. જ્યાં તારું-મારું હશે ત્યાં ધર્મ, ધર્મ નહિ રહી શકે. જરૂરી છે મસ્તિષ્કીય પ્રશિક્ષણ
ધર્મ માનસિક અને ભાવનાત્મક સ્તરની માંગ છે, તેથી પ્રજા તેને છોડી પણ નથી શકતી. તેનું હાર્દ છે અહિંસા. તેનું આચરણ પણ નથી થતું. આ દ્વિમુખી સમસ્યા છે. આ સમસ્યાના મૂળમાં પ્રશિક્ષણનો અભાવ છે. આપણું મસ્તિષ્ક અત્યંત સ્થિતિસ્થાપક છે. તેને પ્રશિક્ષિત કરી શકાય છે, તેને બદલી શકાય છે. હિંસાનું પ્રશિક્ષણ મળે તો તે હિંસક બની શકે છે અને અહિંસાનું પ્રશિક્ષણ મળે તો તે અહિંસક બની શકે છે. તેમાં જૂની આદતોછોડવાની અને નવી આદતોનું નિર્માણ કરવાની ક્ષમતા રહેલી છે. હિંસાનું પ્રશિક્ષણ વ્યાપક સ્તરે ચાલી રહ્યું છે. અહિંસાના પ્રશિક્ષણની ક્યાંય કોઈ તૈયારી નથી. પછી ધર્મ અને અહિંસાના વિકાસની વાત વિચારી જ કેમ શકાય? મહાવીરે એક મોટા સમૂહને અહિંસા માટે પ્રશિક્ષિત કર્યો
મહાવીરનું અહિંસા-દર્શન - 88
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org