________________
હતો. તેમની પાસે જે કોઈ જતું તેને મહાવીર પ્રશ્ન પૂછતા - તમે ક્યાંથી આવ્યા છો? તમારે ક્યાં જવાનું છે? – આ બંને પ્રશ્નોની શોધમાં મસ્તિષ્કની ગતિ બદલાઈ જતી. તે અતીતના ઊંડાણમાં જઈને પોતાને ઓળખી લેતો અથવા ભવિષ્યની અંધારી ગલીઓ પાર કરીને પ્રકાશની પસંદગી કરી લેતો. ચિંતનને ધ્યાનના ખૂબ ઊંડાણમાં લઈ જવું એ જ છે મસ્તિષ્કીય પ્રશિક્ષણ. અહિંસાનું સ્વતંત્ર ચિંતન જાગે
અહિંસા માટે મસ્તિષ્કીય પ્રશિક્ષણની એક પ્રકલ્પના, એક યોજના આવશ્યક છે. એના વગર નિશ્ચિત દિશામાં આગળ વધી શકાતું નથી. અહિંસાનો પાઠ એકસો વખત વાંચી લેવા છતાં કોઈ અહિંસક નથી બની જતું. પાઠ પ્રશિક્ષણનું એક અંગ હોઈ શકે, પરંતુ તે પ્રશિક્ષણનો સંપૂર્ણ અભ્યાસક્રમ નથી. એ માટે અનેક તત્ત્વોનો સમાહાર અપેક્ષિત છે. શસ્ત્ર-નિર્માણ, પ્રયોગ અને પરીક્ષણ માટે કેટલીક મોટી યોજનાઓ અને કાર્યક્રમો ચાલી રહ્યાં છે. એ માટે હિંસામાં વિશ્વાસ ધરાવનારાઓની એક મોટી ફોજ તૈયાર છે. હિંસા સ્વયં નિષેધાત્મક છે. તે પોતે તે ભયંકર છે જ અને તેનાં પરિણામો પણ ભયંકર છે. પરિણામની ભયંકરતા જોઈને લોકો અહિંસાની વાત કરે છે. અહિંસાનું સ્વતંત્ર ચિંતન નથી. અહિંસા સ્વયં વિધાયક છે અને તેનાં પરિણામો પણ વિધાયક છે. પરંતુ એ માટે આપણું મસ્તિષ્ક તૈયાર નથી. શું મસ્તિષ્કના પરિવર્તનની વાત વિચારવામાં આવશે ખરી? શું આજના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક યુગમાં અહિંસાને પ્રયોગની ભૂમિ પ્રાપ્ત થશે ખરી? આ પ્રશ્નોના ઉત્તરો શોધવાના છે, આપણે સૌએ શોધવાના છે અને ખાસ તો એ લોકોએ શોધવાના છે કે જેઓ હિંસાથી ભયભીત નથી, પરંતુ અહિંસાની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરે છે અને જેમના કંઠે અહિંસાની આવી સ્વરલહરીયો અવિરત ગુંજતી રહે છે –
ભીયાણં પિવ શરણં, પખીણં પિવ ગયણં / _તિસિયાણં પિવ સલિલ, ખુફિયાણં પિવ અસણં //
સમુદમઝે વ પોતવહણં ચઉપૃયાણં વ આસમપર્ય/ દુફિયાણં વ ઓસવિલં, અડવીમખ્સવ સત્યુગમણું //
ન મહાવીરનું અહિંસા-દર્શન - 89 E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org