________________
લોહીલુહાણ છે ધર્મનો ઇતિહાસ
ધર્મના રક્ષણનો પ્રશ્ન ધાર્મિક વ્યક્તિને પજવતો રહ્યોછે. તેના રક્ષણ માટે અધર્મની મદદ લેવામાં આવી છે. મહાવીરે ધર્મનાં ત્રણ લક્ષણો બતાવ્યાં અહિંસા, સંયમ અને તપ. અહિંસા ધર્મનું પ્રથમ લક્ષણ છે. ધર્મનું રક્ષણ અહિંસા દ્વારા જ થઈ શકેછે. હિંસા દ્વારા સંપ્રદાયનું રક્ષણ થઈ શકે, પરંતુ ધર્મનું રક્ષણ ન થઈ શકે. માનવજાતિએ ધર્મની પ્રતિમાને સંપ્રદાયના પરિધાન સહિત જ નિહાળીછે. તેની સમક્ષ પરિધાનનું રક્ષણ પ્રથમ છે તેથી હિંસા દ્વારા ધર્મનું રક્ષણ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ. આ પરંપરા કોઈ નવી નથી, તે અત્યંત પ્રાચીન છે. ન્યાયશાસ્ત્રમાં ધર્મના રક્ષણ માટે જાતિ, છળકપટ અને વિતંડાને પ્રતિષ્ઠિત ક૨વામાં આવ્યાં. સામાજિક ક્ષેત્રે ધર્મના રક્ષણના બહાને અનેક સંઘર્ષો થયાં, અનેક લડાઈઓ લડવામાં આવી. ધર્મનો ઇતિહાસ લોહીયાળ છે. ધર્મના નામે લોહી વહેવડાવવું એ તો પાણીમાં આગ લાગવા જેવી વાત છે.
ધર્મ અહિંસા છે
અહિંસાતું
રક્ષણ હિંસા દ્વારા ?
ધર્મના રક્ષણનું નામ ખૂબ પ્રિય લાગે છે. એ નામે પ્રજાને ઉશ્કેરવાનું
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 87
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org