________________
ઇન્દ્રિયાનુભૂતિથી પરનું સત્ય
શરીર અને ઇન્દ્રિય એ બંને અનુભૂતિઓથી પર જે સચ્ચાઈ છે, ત્યાં અહિંસાના બીજનું અંકુરણ થાય છે. હું શરીર નથી એ ઇન્દ્રિયાનુભૂતિથી પરનું સત્યછે. ઇન્દ્રિયોની માંગ પૂરી કરતા રહેવું એ માનવીય જીવનની સાર્થકતા નથી. તે ઇન્દ્રિયાનુભૂતિથી પરની સચ્ચાઈ છે. આ સચ્ચાઈઓ જેમ જેમ પ્રગટ થાય છે તેમ તેમ અહિંસાનો વિકાસ થાય છે. શરીરનુભૂતિ અને ઇન્દ્રિયાનુભૂતિના જગતમાં માણસ વિભક્ત છે. કોઈ ગોરો છે, કોઈ કાળો છે. ગારો કાળાને તુચ્છ માને છે, તેના પ્રત્યે હિંસાત્મક આચરણ કરે છે. આવું કરનારા કાંઈ અભણ લોકો જ નથી હોતા.
ક્યાં છે શુદ્ધ બુદ્ધિ?
પ્રશ્ન ઉદ્ભવે છે કે ભણેલો-ગણેલો માણસ બીજા માણસ સાથે ધૃણાભર્યો વ્યવહાર કઈ રીતે કરી શકે? તેનો ઉત્તર ખાસ જટિલ નથી. શરીરનુભૂતિથી પ્રભાવિત બુદ્ધિને કારણે એમ થાય છે. શુદ્ધ બુદ્ધિથી પર એવું શક્ય નથી, પરંતુ શુદ્ધ બુદ્ધિ તો ક્યાંય દૂર રહી જાય છે. શિયાળાની ઋતુમાં હવા ઠંડી થઈ જાય છે અને ઉનાળાની ઋતુમાં તે લૂ બની જાય છે. હવાની જેમ માનવીય બુદ્ધિ પણ પ્રભાવને ગ્રહણ કરે છે. શરીરનુભૂતિના પ્રભાવને કારણે તે ધૃણાની જાળ ગૂંથે છે. રંગભેદના આધારે પ્રોત્સાહન પામતી હિંસા દ્વારા જગતનો ઘણો મોટો ભાગ આક્રાંત છે. આવશ્યક છે વિવેક
ઇન્દ્રિયાનુભૂતિની હિંસાની માત્રા ઘણી મોટી છે. તેનું સંકલન કરવું એ કોઈ સરળ કામ નથી. નાકની વાસનાપૂર્તિ માટે કેટ-કેટલાં જીવ-જંતુઓને મારવામાં આવે છે! હરણોને શા માટે મારવામાં આવે છે? ઘોરખોદીયા પ્રાણીને શા માટે મારવામાં આવે છે? સુગંધી દ્રવ્યો વગર નાકને તૃપ્તિ થતી નથી. માણસને હિંસાની ચિતા નથી, તેને ચિંતા છે ઇન્દ્રિયોની. જૂતાં મુલાયમ હોવાં જોઈએ ! ત્વચાની વાસનાપૂર્તિ માટે કોણ જાણે કેટ-કટેલા જીવોને બલિની વદી ઉપર ચઢાવવામાં આવે છે ! પ્રસાધન સામગ્રી અને હિંસા વચ્ચે ગાઢ સંબંધ જોડાયેલો છે. કોઈ સામાજિક વ્યક્તિ ઇન્દ્રિયોને તૃપ્તિ ન આપે એવું તો કદાચ ન કહી શકાય, પરંતુ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે તે કાંઈ પણ કરે, કોઈ સીમા જ ન જાળવે, કોઈ વિવેક જ ન રાખે એ તો કોઈ રીતે વાંછનીય નથી.
ન મહાવીરનું અહિંસા-દર્શન - 86 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org