________________
હિંસા
અને
ઇન્દ્રિયાનુભૂતિ
Jain Educationa International
હિંસા ભયંકર છે. ભયભીત થઈને અહિંસાની વાત વિચારવી એ અહિંસાની વિશુદ્ધ પ્રેરણા નથી. આપણા ઘણા બધા નિર્ણયો શરીર અને ઇન્દ્રિયોની અભિપ્રેરણા થકી પ્રેરિત હોય છે. આપણે શરીરના સ્તરે જીવીએ છીએ અને આપણી જીવનયાત્રા ઇન્દ્રિયો દ્વારા સંચાલિત હોયછે. શરીર અજર-અમર રહે, કોઈ વિઘ્ન કે અવરોધ ન આવે, કોઈ ઘા ન પહોંચાડે એવી ઇચ્છા સાથે અહિંસા જોડાયેલીછે. પરંતુ તે અહિંસાનું વિશુદ્ધરૂપ નથી. મને કોઈ ઘાયલ ન કરે એવી આકાંક્ષા છે, પરંતુ હું કોઈને ઘાયલ ન કરું એવી ચેતના જાગૃત નથી. શરીરની પ્રેરણાથી પ્રેરિત અહિંસામાં આ વિરોધાભાસ સ્વાભાવિક છે.
પ્રત્યેક આત્મા સમાન છે
અહિંસાની અંતઃપ્રેરણા સમત્વાનુભૂતિ છે. તેનો વ્યાપક દૃષ્ટિકોણ છે પ્રત્યેક આત્મા સમાન છે. જેવી રીતે મને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. એક નાનકડો છોડ પણ દુ:ખની અનુભૂતિ કરે છે અને દુઃખ આપનારને તે ઓળખે છે. તેનાથી તે ડરે છે. તેની પાસે જતાં જ તે પ્રકંપિત થઈ ઊઠે છે. વનસ્પતિ વૈજ્ઞાનિક વેકસ્ટરે એવા અનેક પ્રયોગો કર્યા અને આ સત્યની જાણકારી મેળવી. અધ્યાત્મના આચાર્યોએ પોતાની અંતર્દિષ્ટ દ્વારા આ સચ્ચાઈઓની જાણકારી ઘણા સમય પહેલાં મેળવી લીધી હતી.
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 84
For Personal and Private Use Only
www.jainelibrary.org