________________
એક જ વસ્ત્રના બે છેડા
પરિગ્રહ અને હિંસા બંને પરસ્પર જોડાયેલાં છે. પરિગ્રહ માટે હિંસા થાય છે અને હિંસા માટે પરિગ્રહ થાય છે તે બંને એક જ વસ્ત્રના બે છેડાં છે. એક છેડો રાખવા ઇચ્છો અને બીજા છેડાને છોડવા ઇચ્છો તો એ શક્ય નથી. છૂટશે તો બંને છૂટશે, નહિતર એકેય નહિ છૂટે !
માણસમાં એક માનસિક દુર્બળતા હોય છે. તે પોતાના પ્રત્યેક કાર્યને ઉચિત ગણાવવા ઇચ્છે છે. તે અનુચિત કાર્ય પણ કરે છે છતાં તેને ઉચિત ગણાવવામાં સંતોષની અનુભૂતિ કરે છે. હિંસાને અહિંસા માનવામાં આપણે ભલે માનસિક સંતુષ્ટિ અનુભવીએ, પરંતુ એથી સિદ્ધાંતનું રક્ષણ કરી શકતા નથી. રાગાત્મક અને દ્વેષાત્મક પરિણતિ હોય અને હિંસા ન હોય એ ક્યારેય શક્ય નથી. હિંસામાં અહિંસાની ભેળસેળ ન થઈ શકે
શાશ્વત સિદ્ધાંતની સંજોગો સાથે સમજૂતિ ન થઈ શકે. અહિંસાનો શાશ્વત સિદ્ધાંત છે – રાગ-દ્વેષ-મુક્ત ક્ષણમાં જીવવું. યુદ્ધને રોગમુક્ત અને દ્વેષમુક્ત ક્ષણમાં ન મૂકી શકાય, ભલે પછી તે આક્રમક હોય કે પ્રત્યાક્રમક. આક્રમણકારી પહેલ કરે છે અને પ્રત્યાક્રમણકારી યુદ્ધની પહેલ કરતો નથી – આ તર્ક સમજાય તેવો છે. આક્રમણકારી રાગ-દ્વેષ-યુક્ત થઈને લડે છે અને પ્રત્યાક્રમણકારી રાગવૈષ-મુક્ત થઈને લડે છે - એવી સ્થાપના થઈ શકતી નથી. તેથી જૈન આચાર્યોએ પ્રત્યાક્રમણની હિંસાને વિરોધજા હિંસા કહી છે. આચાર્ય ભિક્ષુના શબ્દોમાં હિંસામાં અહિંસાની ભેળસેળ ન થઈ શકે. જેવી રીતે તડકો અને છાંયડો બંને સ્વતંત્ર છે, તે ક્યારેય પરસ્પરમાં ભળી જતા નથી.
મહાવીરનું અહિંસા-દર્શન - 83
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org