________________
આવી વિચારધારાનો મહાવીરે વિરોધ કર્યો. તેમણે અહિંસાની સ્થાપના કરી અને કહ્યું કે -
- જીવોનું હનન ન કરવું જોઈએ. - તેમના ઉપર શાસન ન કરવું જોઈએ. - તેમને દાસ ન બનાવવા જોઈએ, તેમને પરિતાપ ન આપવો જોઈએ. - તેમનું પ્રાણ-વિયોજન ન કરવું જોઈએ.
- અહિંસા સર્વથા નિર્દોષ છે. હિંસાનાં સમર્થન સૂત્રો
અહિંસા અને હિંસા બંનેના સમર્થનની પરંપરા નિરંતર ચાલતી આવી છે. વૈજ્ઞાનિક જગતમાં હિંસાનું સમર્થન કરવામાં આવ્યું અને અહિંસાનું પણ સમર્થન કરવામાં આવ્યું. હિંસા એક મૌલિક મનોવૃત્તિ છે. તેથી તેને છોડી શકાતી નથી. હિંસા અને યુદ્ધને ઉચિત ગણાવનારા લોકો માટે વિકાસવાદના સિદ્ધાંતનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. માણસને હિંસા અને યુદ્ધની પ્રવૃત્તિ પોતાના પશુ-પૂર્વજો પાસેથી મળેલી છે - એવો સિદ્ધાંત નિર્ધારિત કરવામાં આવ્યો. તેના આધારે માનવસમાજને હિંસા તથા યુદ્ધ માટે મુક્ત પ્રોત્સાહન મળ્યું. આનુવાંશિકી વિજ્ઞાનના ક્ષેત્રમાં એવી ઘોષણા કરવામાં આવી કે માનવીનો હિંસક વ્યવહાર તેની પ્રકૃતિમાં આનુવાંશિક સ્વરૂપે નિયોજિત થાય છે.
વૈજ્ઞાનિક ખ્યાલો, પૂર્વદાર્શનિકોના ખ્યાલની નવી આવૃત્તિ છે. એ દ્વારા હિંસા અને યુદ્ધને ખૂબ સહયોગ મળ્યો છે. હિંસાના સમર્થનને પડકાર
તાજેતરમાં વિવિધ શાખાઓના વીસ વૈજ્ઞાનિકોનું હિંસા વિષય ઉપર એક સંયુક્ત વક્તવ્ય સાંભળવા મળ્યું. તેમાં હિંસાના સમર્થનને પડકારવામાં આવ્યું. તેમના મત મુજબ -
હિંસા ન તો આપણી વિકાસાત્મક પ્રક્રિયામાં છે કે ન તો આપણા જીનમાં છે. જીવવિજ્ઞાન માનવજાતિની વિરુદ્ધ યુદ્ધપિપાસાની પ્રેરણા નથી. જેવી રીતે યુદ્ધ માણસના મસ્તિષ્કમાં પ્રારંભ પામે છે તેવી જ રીતે શાંતિ પણ માણસના
| મહાવીરનું અહિંસા-દર્શન • 78
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org