________________
હિંસા મૌલિક મનોવૃતિ છે?
C[ ?
હિંસા અને અહિંસાના સમર્થનની પરંપરા
“અહિંસા સૌ કોઈ માટે કલ્યાણકારક છે.” મહાવીરની આ સ્થાપનાની પશ્ચાદભૂમાં વિરોધનો સ્વર સાંભળી શકાય છે. અહિંસાના ઉદ્ભવની સાથોસાથ હિંસાના સમર્થનનો પણ પ્રારંભ થઈ ગયો. માત્ર સત્તાલોલુપ અને લોહીતરસ્યા લોકો જ હિંસાનું સમર્થન કરતા નથી. કેટલાક ધાર્મિક લોકો પણ હિંસાના સમર્થનમાં અગ્રણી હતા. આચારાંગનું એક સૂક્ત તેનું
> સાક્ષી છે.
કેટલાક દાર્શનિકો કહે છે કે - - જીવોનું હનન કરી શકાય છે. - તેમના ઉપર શાસન કરી શકાય છે. - તેમને દાસ બનાવી શકાય છે, તેમને પરિતાપ આપી શકાય છે. - તેમનું પ્રાણ-વિયોજન કરી શકાય છે. - એમાં કોઈ દોષ નથી.
મહાવીરનું અહિંસા-દર્શન - 7.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org