________________
ઘટકોની છે – કર્મ, માણસનો તંત્રીકાતંત્રીય વિકાસ, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ, સામાજિક વાતાવરણ વગેરે. અહિંસક સમાજરચનાનો આધાર
મહાવીરે ગૃહસ્થની અહિંસાનું એક સ્વરૂપ નિર્ધારિત કર્યું હતું. હિંસાને ત્રણ વિભાગોમાં વિભક્ત કરી : આરંભજા, વિરોધજા અને સંકલ્પજા. આરંભના હિંસા જીવનનિર્વાહ માટે થતી હિંસા છે. વિરોધજા હિંસા પોતાના રક્ષણ માટે થતી હિંસા છે. સંકલ્પજા હિંસા આક્રમક મનોવૃત્તિ દ્વારા થતી હિંસા છે. મહાવીરે સંકલ્પજા હિંસાને ત્યાગવાની પ્રેરણા આપી. તેમના મત મુજબ જો અનાક્રમણની વૃત્તિનો વિકાસ થાય તો અનાવશ્યક હિંસાની વ્યુહરચના આપોઆપ તૂટી જાય. આક્રમણ વગર વિરોધજા હિંસા અથવા સુરક્ષા માટે થતી હિંસાનો પ્રસંગ જ પેદા ન થાય. જો માણસ આરંભા હિંસા સાથે જીવતો હોય તો એવા સમાજને હિંસક સમાજ ન કહી શકાય. હિંસા, હિંસા છે. આરંભના હિંસા પણ અહિંસા તો નથી જ.છતાં તે હિંસાના આધારે વ્યક્તિ કે સમાજને હિંસક ન કહી શકાય. જે સમાજમાં આક્રમણકારક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેના માટે હિંસક શબ્દનો પ્રયોગ રૂઢ બની ગયો. અહિંસક સમાજરચનાનો એક આધાર એ જ છે કે તેમાં આક્રમણકારક પ્રવૃત્તિઓ ન થતી હોય, યુદ્ધ ન થતાં હોય. અનાક્રમણની દીક્ષા
હું આક્રમણ નહિ કરું – આ વ્રતનો વધુમાં વધુ પ્રચાર એ જ યુદ્ધ-વર્જનાનું અમોઘ શસ્ત્ર છે. સમાજનો મોટોભાગ આ વતદીક્ષા થકી દીક્ષિત થઈ જાય તો સત્તાની ખુરશી ઉપર બેઠેલા લોકોમાં યુદ્ધનો ઉન્માદ પેદા થઈ શકે નહિ. પ્રજાનું બળ રાજ્યના બળ કરતાં વિશેષ સમર્થ હોય છે. પ્રજાના સમર્થન વગર કોઈપણ સરકાર યુદ્ધ લડી શકતી નથી. તેથી યુદ્ધ-વર્જન માટે પ્રજાને પ્રશિક્ષિત કરવી, અનાક્રમણની દીક્ષા થકી દીક્ષિત કરવી એ વધુ ઉપયોગી બની શકે. રાજ્યના સ્તરે થતા પ્રયત્નો યુદ્ધ-વર્જના માટે સફળ નીવડશે કે નહિ તે કહી શકાય તેમ નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રજાનો અંકુશ યુદ્ધના ઉન્માદ ઉપર એક પ્રકારનું નિયંત્રણ બની શકે છે.
મહાવીરનું અહિંસા-દર્શન : 76.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org