________________
સૈન્યવર્ગ માટે પણ છે. તેનું પાલન કરનારા લોકો કોઈના ઉ૫૨ આક્રમણ કરી શકતા નથી, યુદ્ધનો પ્રારંભ કરી શકતા નથી. પ્રાચીનકાળમાં કેટલાક લોકો યુદ્ધને પ્રોત્સાહન આપતા હતા. સંસ્કૃત સાહિત્યમાં તે વિષયનાં અનેક સૂક્તો આજે પણ સુરક્ષિત છે. જેમ કે -
જિતે ચ લભ્યતે લક્ષ્મી, મૃતે ચાપિ સુરાંગના I ક્ષણભંગુરકો દૈ:, કા ચિંતા મરણે રણે ।।
યુદ્ધમાં મૃત્યુ પામનાર સ્વર્ગમાં જાયછે, આ માન્યતાને ખૂબ વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું. ભગવાન મહાવીરે ઉક્ત માન્યતાનું ખંડન કર્યું. તેમણે યુદ્ધનાં મૂળ કારણો વિશે વિચાર કર્યો અને તેનાં મૂળને સિંચન ન મળે તેવી વિધિઓનો નિર્દેશ આપ્યો.
શસ્ત્રનું નિર્માણ મસ્તિષ્કમાં
યુદ્ધનું મૂળ શસ્ત્રીકરણ છે. શસ્ત્રનું નિર્માણ ન થાય એ વ્રતને ગૃહસ્થની આચાર-સંહિતામાં સ્થાન આપ્યું. ભગવાને કહ્યું કે શસ્ત્રનું નિર્માણ મસ્તિષ્કમાં થાય છે. લોખંડ વગેરે દ્વારા બનતાં શસ્ત્રો નિર્જીવ શસ્ત્રો છે. પ્રથમ સજીવ શસ્ત્રનું નિર્માણ થાય છે અને તે આપણા મસ્તિષ્કમાં થાય છે. ત્યાર પછી નિર્જીવ શસ્ત્રનું નિર્માણ થાયછે. ભગવાને તે સજીવ શસ્ત્રનું નિર્માણ ન કરવાનું માર્ગદર્શન આપ્યું. સજીવ અને નિર્જીવ – બંને પ્રકારનાં શસ્ત્રોનું નિર્માણ ન થાય એવી સ્થિતિમાં યુદ્ધવર્જનાની વાત સહજરૂપે ફલિત થઈ રહે છે.
હિંસાનું બીજ પ્રત્યેક પ્રાણીમાં
આજના વૈજ્ઞાનિકો હિંસાના મૂળની શોધમાં ડૂબેલા છે. મનોવૈજ્ઞાનિકો સંઘર્ષને મૌલિક મનોવૃત્તિ માને છે. આનુવંશિકી વૈજ્ઞાનિકો હિંસાનું મૂળ જીનમાં શોધી રહ્યાછે, પરંતુ યુદ્ધનો તેની સાથે કોઈ સંબંધ નથી. હિંસાનું અસ્તિત્વ પ્રત્યેક પ્રાણીમાં છે. પશુ અને પક્ષીઓ પણ લડે છે. એકબીજાની હત્યા કરે છે, પરંતુ તેમનામાં યુદ્ધનો વિકાસ થયો નથી. યુદ્ધ એક વિશિષ્ટ કલાછે, એક વિશિષ્ટ વ્યવસ્થા છે. પશુ-પક્ષીઓમાં એટલો વિકાસ નથી કે તેઓ યુદ્ધની રચના કરી શકે. એ તો માનવસમાજની વિશિષ્ટ ભેટ છે. ભગવાન મહાવીરની દૃષ્ટિએ હિંસાનાં બીજ પ્રત્યેક પ્રાણીમાં વિદ્યમાન હોય છે. તેમનો સંબંધ કર્મ સાથે છે. પરંતુ હિંસા યુદ્ધ સ્વરૂપે ફલિત થાય તે માટે માત્ર કર્મની જવાબદારી નથી. તેની જવાબદારી અનેક
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 75
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org