________________
યુદ્ધ
અને
અહિંસા
.
યુદ્ધ સાર્વજનિક સમસ્યા નથી - હિંસાનાં અનેક સ્વરૂપ છે. તેમાં સૌથી ભયંકર સ્વરૂપ યુદ્ધનું છે. તે વિધિ અને કાનૂનની સીમાથી પર છે. સામાન્ય સંજોગોમાં હત્યા એક શિક્ષાત્મક અપરાધ છે. યુદ્ધની સ્થિતિમાં કોઈની હત્યા કરવી તે પુરસ્કારયોગ્ય કાર્ય છે. યુદ્ધ અત્યંત ભયંકર છે તેથી સૌ કોઈનું ધ્યાન યુદ્ધ-વર્જના તરફ જાય છે. યુદ્ધ સાર્વજનિક સમસ્યા નથી. તેનાથી પ્રભાવિત સૌ કોઈ થાય છે, યુદ્ધ લડનારાં સૌ કોઈ નથી હોતાં. તેનો સંબંધ શાસકવર્ગ અને સૈન્યવર્ગ સાથે જોડાયેલો છે, સામ્રાજ્ય-વિસ્તારની
આકાંક્ષા અને સુરક્ષા સાથે જોડાયેલો છે. રાજ્ય પાસે શક્તિનો સંગ્રહ અસીમ થઈ જાય છે. તેથી શાસનની ખુરશી ઉપર બેઠેલા લોકો જ્યારે ઇચ્છે ત્યારે રણભેરી વગાડી દે છે અને લોકોને માથે યુદ્ધનાં કાળાં વાદળો ઘેરાઈ જાય છે. ચુદ્ધઃ એક ખ્યાલ
ભગવાન મહાવીરે અહિંસાના સામાન્ય નિર્દેશો આપ્યા. તેમાં યુદ્ધવર્જનનો નિર્દેશ નથી. અહિંસાના નિર્દેશો સૌ કોઈ માટે છે. શાસકવર્ગ અને
મહાવીરનું અહિંસા-દર્શન • 74.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org