SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આપણે અહિંસક સમાજરચનાનું સ્વપ્રછોડવું નથી. એમાં યથાર્થનો રંગ ભરવો છે, સમાજરચના પોતે અહિંસાનો એક પ્રયોગ છે. સમાજનો આધાર – અહિંસાનાં બે રૂપ છે – નૈૠયિક અને વ્યાવહારિક, નૈશ્ચયિક અહિંસા માત્ર વ્યક્તિની અંતશ્ચેતના સાથે સંબંધ ધરાવેછે. તે નિતાંત વૈયક્તિક હોયછે. વ્યાવહારિક અહિંસાની સાધના સમાજના સંદર્ભમાં થાય છે. હજારો લોકો એકસાથે રહે અને બીજાઓને ક્ષતિ ન પહોંચાડે તે વ્યાવહારિક અહિંસાછે. સમાજ માટે તે મુખ્ય આધાર છે. બીજાઓને ક્ષતિ પહોંચાડવાની વાત સમાજના મૂળને હચમચાવી નાખવાનો પ્રયત્નછે. એવો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજા લોકોને વિપક્ષ બનાવીને પોતાને સંપન્ન બનાવવાની મનોવૃત્તિને કારણે સમાજનો પાયો નબળો પડેછે. આવું જ કંઈક ચાલી રહ્યું છે. તેથી જ કેટલાક વિચારકોના મનમાં અહિંસક સમાજરચનાની કલ્પનાએ જન્મ લીધો. તે કલ્પના ખોટી કે ખરાબ નથી. આરોગ્ય બગડે ત્યારે દવા લઈને આરોગ્યની માવજત કરવા જેવી આ પ્રવૃત્તિ છે. હકીકતમાં સ્વાસ્થ્ય માણસના શરીરનો જ પ્રયત્ન છે. રોગ-પ્રતિરોધક શક્તિ સ્વયં સ્વાસ્થ્ય છે. તેની ઊણપ રોગ છે. બીજાઓનાં આંસુ ઉપર પોતાની સ્નિગ્ધતાની વૃદ્ધિનહિ કરવાનો સંકલ્પ સમાજની રોગ-પ્રતિરોધક શક્તિ છે. જો આ શક્તિનું પુનર્જાગરણ કરવામાં આવે તો સમાજ સ્વસ્થ બની રહેશે. આ જ છે અહિંસક સમાજની રચના. સંઘર્ષ અંધકાર અને પ્રકાશનો હું માનું છું કે તમામ લોકો સામાજિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન ન કરી શકે.છતાં એ દિશામાં એક જાગરુકતાભર્યો પ્રયત્ન આવશ્યક છે. એવા પ્રયત્નના અભાવે ઘોર અંધકારની કલ્પના જ થઈ શકે. પ્રકાશની દિશામાં અનેક પ્રયત્નો કરવા છતાં અંધકારનું અસ્તિત્વ દૂર થયું નથી. શું સૂરજ નહિ ઊગે ? શું ઝુંપડીમાં દીવો નહિ પ્રગટે ? શું વીજળી પોતાનો પ્રકાશ નહિ પાથરે ? હાર માનવાનું અંધકારને પણ માન્ય ન હોય ત્યારે શું પ્રકાશ પોતાનો પરાજય સ્વીકારીને ઉદાસ બની બેસશે ? સફળતાની ચાવી છે - પ્રયત્ન અને પુરુષાર્થ, એના ઉપર જ માણસનો અધિકાર છે. તે પોતાના અધિકારને નહિ ભૂલે તો જ તેની માનવતા ચિરંજીવી બનશે, ત્યારે જ તેનું અહિંસક સમાજરચનાનું સ્વપ્ર સાકાર બનશે. મહાવીરનું અહિંસા-દર્શન ♦ 73 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy