________________
મસ્તિષ્કમાં જ પ્રારંભ પામે છે. માણસમાં યુદ્ધ અને શાંતિ બંનેનો આવિષ્કાર તેમ જ વિસ્તાર કરવાની ક્ષમતા છે.' યુદ્ધ હિંસાનો વિશેષ પ્રયોગ
વૈજ્ઞાનિકો દ્વારા યુદ્ધ-વર્જના, શાંતિ અને અહિંસાને સમર્થન વગેરે કોઈ નવી વાત નથી. એ પણ પૂર્વદર્શનનું માત્ર પુનરુચ્ચારણ જ છે. મહાવીરે હિંસા અને અહિંસા વિશે કહ્યું હતું કે – હિંસાનાં સંસ્કારબીજ પ્રત્યેક પ્રાણીમાં હોય છે. અહિંસાનાં સંસ્કારબીજ પણ સૌ કોઈમાં હોય છે. લોભ, દ્વેષ, મોહ અને મિથ્યાદષ્ટિકોણ - વગેરે આંતરિક કારણો, ઉદ્દીપનો તથા ઉત્તેજનાત્મક બાહ્ય કારણો ભેગાં થવાથી હિંસા ફાટી નીકળે છે. યુદ્ધ માટે વિશેષ દક્ષતા (નિપુણતા) જરૂરી હોય છે. તેની દક્ષતા માત્ર માણસમાં જ હોય છે. માણસે તે માટે અનેક ઉપકરણોનો વિકાસ કર્યો છે. યુદ્ધની વ્યુહરચનાનો પણ વિકાસ કર્યો છે. હકીકતમાં એ હિંસાનો એક વિશેષ પ્રયોગ છે.
પ્રશ્ન છે પસંદગીનો
અહિંસાના વિકાસની તક, વાતાવરણ, જ્ઞાન અને ભાવનાત્મક પ્રયોગો ભેગાં મળે તો હિંસાનાં સંસ્કારબીજને સિંચન ન મળે. તે નિષ્ક્રિય સ્થિતિમાં પડી રહે. આ રીતે અહિંસાનાં સંસ્કારબીજને સિચન ન મળે તો તે પણ નિષ્ક્રિય બની જાય છે. આ એક બિંદુ છે જ્યાં આપણને પસંદગી કરવાની તક મળે છે. આપણે કઈ દિશામાં જવું : હિંસાની દિશામાં કે અહિંસાની દિશામાં, યુદ્ધની દિશામાં કે શાંતિની દિશામાં? આપણે સમાજને કઈ દિશામાં લઈ જવો છે : હિંસા અને અશાંતિની દિશામાં કે પછી અહિંસા અને શાંતિની દિશામાં? યુદ્ધની ઉર્વરા
આ બિંદુ ઉપર પહોંચીને આપણે પુનર્વિચાર કરવો પડશે, આજની શિક્ષાદીક્ષા ઉપર, મહત્ત્વાકાંક્ષી પ્રવૃત્તિઓ ઉપર. વર્તમાન શિક્ષણ બૌદ્ધિકતા સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં મહત્ત્વાકાંક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એ સાચું છે કે મહત્ત્વાકાંક્ષા વગર વિકાસ કુંઠિત થઈ જાય છે.
મહાવીરનું અહિંસા-દર્શન 79.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org