________________
હિંસાની સત્તા વ્યાપક છે.
કારણો અનેકછે અને કાર્ય એક છે. હિંસાની સત્તા એટલા માટે વ્યાપક છે કે તેનાં કારણો અનેક છે. ગરીબ સમાજમાં ગરીબીના કારણે હિંસા થઈ શકે છે. સામ્યવાદી વ્યવસ્થામાં ગરીબીનો પ્રશ્ન નથી હોતો. જીવનયાપનનાં સાધનોની પૂર્તિને પ્રાથમિકતા આપવામાં આવીછે, ત્યાં પણ હિંસા થાયછે. સમાચારપત્રોનો એક સંવાદ છે કે ૧૯૮૭માં સોવિયેત રૂસમાં નવ હજાર હત્યાઓ થઈ. આ દ્વારા જાણવા મળે છે કે હિંસાનું કારણ એક નથી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં દર વર્ષે હજા૨ો હત્યાઓ થાયછે. એથી એવું તારણ મળેછે કે હિંસાનાં મૂળ ખૂબ ઊંડાં હોય છે અને તે એટલાં બધાં પ્રસરેલાં હોય છે કે તેનો એક ભાગ ઉન્મુલિત થવાથી જ હિંસાનું ચૈત્યવૃક્ષ ઉત્સૂલિત થઈ જતું નથી.
સમગ્ર પ્રારૂપ તૈયાર હોય
અહિંસાની દૃષ્ટિએ વિચારનાર ચિંતક અહિંસક સમાજની રચનાનું પ્રારૂપ રજૂ કરે છે. તેમાં મુખ્યત્વે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, શ્રમ, સ્વાવલંબનની ચર્ચા થાય છે. અહિંસક સમાજરચનાની દિશામાં આ તત્ત્વોને અપેક્ષિત કહી શકાય, પરંતુ આટલાં તત્ત્વોથી અહિંસક સમાજની રચના પરિપૂર્ણ થઈ જાયછે એમ કહી શકાય નહિ. એ માટે ઉક્ત તમામ કારણોની સમીક્ષા કરીને એક સમગ્ર પ્રારૂપ તૈયા૨ ક૨વાની આવશ્યકતા જણાય છે.
અહિંસા : જીવનદર્શન
અહિંસાને માત્ર ઉપયોગિતાના આધારે જ સ્વીકારવામાં આવે તો તેનો વિકાસ શક્ય નથી. તેને એક વ્યાવહારિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવે તો પણ તેનો વિકાસ શક્ય નથી. તેની આસ્થા, આત્માનુભૂતિ, ઉપયોગિતા અને પ્રવૃત્તિ - આ ચતુષ્પદી રૂપે જ તેની સ્વીકૃતિ સાર્થક નીવડી શકે. આ સમગ્ર સમીક્ષાને અંતે જે વિચાર તરી આવે છે, તે અહિંસાને જીવનદર્શન તરીકે અભિવ્યક્ત કરે છે. આજે તે સિદ્ધાંત તરીકે ખૂબ જ ચર્ચિત છે. હિંસાથી સંતપ્ત માનવી તેની ઉપયોગિતાનો અનુભવ કરી રહ્યો છે. તેથી તે ચર્ચાનો વિષય બની છે, પરંતુ આ વિધિમાં તેનાં વિકાસબીજ અંકુરિત થઈ શકે નહિ. તેના અંકુરણ માટે આવશ્યક છે - સમગ્ર દૃષ્ટિનું નિર્માણ,સમગ્ર ક્રાંતિનું આહ્વાન અને જીવનનું સમગ્રપણે સમર્પણ.
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 70
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org