________________
તેની સાથે એક સંકેત કર્યો છે કે હિંસાનાં કારણો આટલાં જ નથી. સેંકડો કારણો છે.
શોધનાં બે પાસાં
હિંસાનાં કારણોની શોધ મોટેભાગે બહારના જગતમાં થાય છે. બાહ્ય જગતમાં હિંસાનાં કારણો નથી, એમ કહેવું સત્યને અનુકૂળ નહિ ગણાય. તે કારણો બાહ્ય જગતમાં છે તેમ કહેવું સત્યથી સર્વથા પ્રતિકૂળ છે. તેનાં કારણો બહારના જગતમાં પણ છે અને ભીતરમાં પણ છે. તેથી આપણી શોધનાં બે પાસાં બની જશે - બાહ્ય અને ભીતર. ગરીબી, આર્થિક વિષમતા વગેરે હિંસાનાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ માનસિકતા છે. તે આંતરિક કારણ છે. આંતરિક કારણોની યાદી ખૂબ લાંબી છે. માત્ર માનસિકતા એ જ તેનું કારણ નથી. હિંસા: કારકતત્ત્વ
શરીરના સ્તરે હિંસાનાં આંતરિક કારણો બે છે - ૧. નાડી, તંત્રીય અસંતુલન ૨. રાસાયણિક અસંતુલન સૂક્ષ્મ શરીરના સ્તરે હિંસાનાં આંતરિક બે કારણો છે – ૧. કર્મવિપાક ૨. ધૂંધળું આભામંડળ ચેતનાના સ્તરે હિંસાનાં આંતરિક કારણો આ પ્રમાણે છે - ૧. માનસિક તનાવ ૨. ભાવનાત્મક તનાવ ૩. નિષેધાત્મક દૃષ્ટિકોણ ૪. માનસિક ચંચળતાનો અતિરેક ૫. અહં ભાવના ૬. હીનભાવના ૭. વૈચારિક આગ્રહ અને મિથ્યાદષ્ટિકોણ પૂર્વોક્ત પંદર કારણોમાં માટેભાગે આંતરિક કારણો છે.
ન મહાવીરનું અહિંસા-દર્શન - 69 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org