________________
શું અહિંસક સમાજરચતા શક્ય છે ?
પ્રશ્ન અહિંસક સમાજરચનાનો
અહિંસક સમાજરચનાનું સ્વપ્ર ખૂબ મધુરું છે. આ સમાજવાદી યુગમાં વ્યક્તિ અને વૈયક્તિકતાની અપેક્ષાએ સમાજ અને સામાજિકતા આ શબ્દો વધારે પ્રિય બનેલા જોવા મળે છે. અહિંસક વ્યક્તિ-નિર્માણની અપેક્ષાએ અહિંસક સમાજરચનામાં વિશેષ આકર્ષણ છે. મહાત્મા ગાંધીના અસ્તિત્વ પછી આ શબ્દો વધારે મીઠાશ ધારણ કરી રહ્યા છે. પ્રશ્ન બહુ જટિલ છે. સમાજવાદી ખ્યાલને આધારે સમાજનું નિર્માણ થયું. તેની સમક્ષ વ્યક્તિનિર્માણનો પ્રશ્ન ઉપસ્થિત થયો. સમાજરચના
બદલાઈ જવા છતાં વ્યક્તિ બદલાતી નથી, પરિણામે સમાજ સમસ્યાઓ અને સંકટોનો અનુભવ કરી રહ્યો છે. અપરાધ, હત્યા, અન્યાય અને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર સમાજ નથી કરતો, વ્યક્તિ કરે છે. નિયંત્રણ સામાજિક હોઈ શકે પરંતુ આચરણ વૈયક્તિક જ હોય છે. નિયંત્રણ અને આચરણ આ બંને વચ્ચે એકતા સ્થપાઈ જાય તો ખરેખર નવી સમાજરચનાની વાત વિચારી શકાય. એવું ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી અને અત્યારે પણ બની રહ્યું નથી. આવા સંજોગોમાં અહિંસક સમાજરચનાનું સ્વપ્ર શી રીતે સાકાર થાય?
ન મહાવીરનું અહિંસા-દર્શન 71 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org