________________
અહિંસાનાં બે તબંધન: કરુણા અને સંચમ
ભગવાન મહાવીર અહિંસાના ઉદ્ગાતા હતા. તેઓ ભગવાન બુદ્ધની જેમ કરુણાના ઉદ્ગાતા નહોતા. તેમની અહિંસાનાં બે તટબંધન હતાં – સંયમ અને કરુણા. માત્ર કરુણા કેટલાક પ્રસંગોમાં અહિંસાથી દૂર જતી રહે છે. તેથી કરુણાની સાથે સંયમ અને સંયમની સાથે કરુણાનો યોગ આવશ્યક છે. મહાવીરે આ યોગનું પ્રતિપાદન કર્યું. દુઃખમોચનની સાથે જોડાયેલી કરુણા મહાવીરને સ્વીકાર્ય નહોતી. દુઃખના સ્રોત અસંખ્યછે. તે બધા સ્રોતોની પૂર્તિ અહિંસાના બદલે હિંસાને પ્રતિષ્ઠિત કરી દે છે. આ જોખમથી બચવા માટે જ અહિંસાનું સ્વરૂપ નિષેધની ભાષામાં નિર્ધારિત કર્યું. ન + હિંસા = અહિંસા – આ જેટલું નિર્દોષ છે તેટલું નિર્દોષ વિધાયક સ્વરૂપ નથી બની શકતું. પ્રવૃત્તિ ઃ નિવૃત્તિ
જૈન ધર્મ નિવૃત્તિમૂલક ધર્મ છે. તેનું પ્રારંભ બિન્દુ નિષેધ છે. ન કરો, ન બોલો, નવિચારો – આ સામાન્ય વિધિ છે, ઉત્સર્ગ માર્ગ છે. કરો, બોલો, વિચારો આ અનિવાર્યતા છે, વિશેષ વિધિ છે. અપવાદ માર્ગ છે.
કરો'માંથી કરવાનું નીકળે છે, ત્યાં આસક્તિ જન્મે છે. “ન કરો'માંથી કરવાનું નીકળે છે ત્યાં અનાસક્તિ જન્મે છે. સમિતિ હોય છે, કર્તવ્યનો વિવેક હોય છે. નહિ બોલવામાંથી બોલવાનું નીકળશે, ત્યાં ભાષાનો વિવેક હશે. અહિંસાનો મૌલિક હેતુ
કરુણાની સાથે વિવેક આવશ્યક છે. જો આ વિવેક હોત તો એકતરફ માણસનું શોષણ, બીજી તરફ ધન વડે ધર્મ કમાવવાની વૃત્તિ ન જાગત. કરુણા ક્રૂરતાનો પ્રતિપક્ષ છે. કરુણાપૂર્વક વ્યવહાર એક સ્થૂળ પ્રવૃત્તિ છે. એનું સૂક્ષ્મરૂપ છે – ક્રૂરતાનો વિલય. એ દૃષ્ટિકોણ પરિવર્તન દ્વારા જ સંભવ છે. અહિંસાનું મૌલિક કારણ સમ્યગ્રદર્શન છે. દર્શન જેવું સમ્યફ બને છે, કે તરત જ આસન ડોલી જાય છે, કરુણાની પીઠ પ્રતિષ્ઠિત થઈ જાય છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 67
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org