________________
સાથે હીરાનો સોદો કર્યો હતો. હીરાના ભાવ વધી ગયા. સામેની વ્યક્તિને પચાસ હજાર રૂપિયાનું નુકસાન થતું હતું. શ્રીમદ્ રાજચંદ્ર તે વ્યક્તિને બોલાવીને કહ્યું, “એગ્રીમેન્ટનો દસ્તાવેજ મને આપો.” તેણે ઘણા આગ્રહ પછી દસ્તાવેજનો કાગળ શ્રીમદ્ રાજચંદ્રજીના હાથમાં મૂક્યો. તેમણે એ કાગળ ફાડતાં કહ્યું, “આપણો સોદો અહીં રદ થાય છે. રાજચંદ્ર પાણી પી શકે છે, કોઈનું લોહી નથી પી શકતો.”
આ છે કરુણા, જે અહિંસાને અભિવ્યક્તિ આપે છે.
ગુરુ જિલ્લામાં બિદાસર નામનો કસબો હતો. ત્યાં એક શ્રાવક હતા. તેમનું નામ હતું ઉત્તમચંદ બેંગાણી, જયાચાર્ય પ્રતિ તેમને પરમ શ્રદ્ધા હતી. અકસ્માતમાં તેમનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો. તેમણે ઘટનાની શોધ કરી. કોઈ જ્યોતિષે કહ્યું કે તમારી આંગળીમાં હીરાની વીંટી છે. તે હીરો તમારા માટે શુભ નથી. તેને તમે વેચી દો.
તેમના મિત્રે કહ્યું - આ હીરો મને આપી દે. હું કોઈને વેચી દઈશ. ઉત્તમચંદજી બોલ્યા - આ લો હીરો. આને કૂવામાં નાખી આવો.
મિત્રે કહ્યું - આટલો કીમતી હીરો કૂવામાં કેવી રીતે નાખું? આને હું વેચવા ઇચ્છું છું.
ઉત્તમચંદજી બોલ્યા - આને વેચવો નથી. આને કૂવામાં જ નાખી દો. મિત્રએ ફરીથી વેચવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું - હું કોઈ બીજાને પુત્રના મૃત્યુથી દુઃખી જોવા નથી ઇચ્છતો. આ એ સ્વર છે જેણે અહિંસાનું ચિત્રાંકન કર્યું છે. કરુણાને જીવંત કરી છે.
કાલસૌરિક રાજગૃહનો પ્રસિદ્ધ કસાઈ હતો. તે દરરોજ અનેક પાડાઓને મારતો હતો. તેના મૃત્યુ પછી તેનો મોટો પુત્ર સુલસ તેનો ઉત્તરાધિકારી બન્યો. ઉત્તરાધિકારીની વિધિ માટે એક પાડાની હત્યા કરવી જરૂરી હતી. સુલકુમાર ભગવાન મહાવીરનો શ્રાવક હતો. તેના મનમાં કરણાની ધારા પ્રવાહિત હતી. તેણે તેના પરિવારજનોને કહ્યું. પાડો મારવો મારા માટે સંભવ નથી. પણ તેની વાત કોઈએ ગણકારી નહિ. અત્યંત આગ્રહ સહિત તેના હાથમાં તલવાર પકડાવી દીધી. સુલસે તલવાર ચલાવી, પરંતુ પાડાની ગરદન પર નહિ, પોતાના પગ ઉપર. પગમાંથી લોહીની ધારા વહેવા લાગી. પરિવારજનોએ કહ્યું – આ તેના પિતાનો યોગ્ય ઉત્તરાધિકારી નહિ બની શકે. કરુણાએ સુલસને અહિંસાના માર્ગ પર પ્રતિષ્ઠિત કરી દીધો.
મહાવીરનું અહિંસા-દર્શન - 66
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org