________________
5
અહિંસાનું હાર્દ : કરુણા
Jain Educationa International
અહિંસાનો અંતરાત્મા છે કરુણા સમ્યક્ દર્શનની પાંચ કસોટીઓ છે -
૧. શમ - માનસિક શાંતિ
૨. સંવેગ – મુમુક્ષા, બંધનથી મુક્ત થવાની ઇચ્છા ૩. નિર્વેદ - અનાસક્તિ, વૈરાગ્ય
૪. અનુકંપા - કરુણા, દયા
૫. આસ્તિક્ય - અસ્તિત્વનો બોધ, સત્યનિષ્ઠા આમાં ચોથી કસોટીછે કરુણા. દર્શન મિથ્યા હોયછે ત્યારે ક્રૂરતા પોષણ પામે છે. દર્શન બદલાતાં જ ક્રૂરતાનું સ્થાન કરુણા લઈ લે છે.‘તમામ જીવો સમાન છે.’ – આ આત્મતુલા અને આત્મૌપમ્યની અનુભૂતિ જેટલી પ્રખર બને છે એટલી જ પ્રખર કરુણા પણ થાય છે. આ અહિંસાનો અંતરાત્મા છે. અહિંસાનું આચરણ કરુણા ઉપર અવલંબિત છે. મહાવીરને કોઈ વ્યક્તિ કષ્ટ આપતી ત્યારે મહાવી૨ એમ વિચારતા કે મને નિમિત્ત બનાવીને તે પોતાનું અહિત કરી રહ્યોછે. આમ વિચારતાં વિચારતાં તેમની કરુણાછલકાઈ જતી. તેઓ પોતાનું કષ્ટ ભૂલી જતા.
આ છે કરુણા
શ્રીમદ્ રાજચંદ્રની ઘટના ખૂબ જાણીતી છે. તેમણે કોઈ એક વ્યક્તિ
મહાવીરનું અહિંસા-દર્શન
65
For Personal and Private Use Only
www.jainelibrary.org