SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત કરવાની ક્ષમતા છે? અર્થ અને કામ એ બંને જટિલ સમસ્યાઓ છે. આ બંનેમાં અર્થની સમસ્યા વધુ જટિલ છે. અર્થનું મમત્વ વ્યક્તિને બાકીનાં તમામ પ્રત્યે નિર્મમ બનાવી દે છે. યુગીન પ્રશ્ન અહિંસા, દયા અને કરુણાની ચેતનાને જગાડવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. તે સફળ ન થયા. કદાચ ક્યાંક સફળ થયા તો તે ખૂબ ઓછા પ્રમાણમાં. ધર્મસમક્ષ આજના યુગનો એક પ્રશ્ન છે. એક પ્રબુદ્ધ વ્યક્તિએ કહ્યું, ધર્મધનવાનોને સહારો આપવા માટે છે. અહિંસા અને કરુણાની વાત તેમનાં અસામાજિક કાર્યો ઉપર પડદો ઢાંકવા માટે છે. ધનવાન લોકો એક તરફ ગરીબોનું શોષણ કરે છે, બીજી તરફ ધર્મના નામે થોડાક પૈસા ખર્ચીને પ્રતિષ્ઠા પામે છે. મેં કહ્યું - ધર્મનું પ્રારંભબિંદુ ત્યાગછે. અર્થની સાથે તેને સીધો સંબંધ નથી. તો પછી તે ધનવાનોને સહારો શી રીતે આપી શકે? તે શોષણને પ્રોત્સાહન કઈ રીતે આપી શકે ? તે માણસને નિર્મમ કઈ રીતે બનાવી શકે? મારો તર્ક તેમના મન સુધી ન પહોંચ્યો અને એમનો તર્ક મારા સુધી પહોંચતો નહોતો. ચિંતનની આધારભૂમિકાઓ અલગ હતી તેથી તર્ક સફળ ન થયો. પ્રશ્નકર્તા ધર્મના અનુયાયીને ધાર્મિક સમજીને પોતાનું ચિંતન વ્યક્ત કરતા હતા. હું ધર્મના અનુયાયી અને ધાર્મિકને એક માનતો નહોતો. તેથી બંનેના તર્ક અલગ અલગ દિશાઓમાં દોડી રહ્યા હતા. અનુયાયી અને ધાર્મિક એક નથી આપણે એ સત્ય ભૂલી ગયા છીએ કે ધર્મના અનુયાયી અને ધર્મ એક ન હોઈ શકે. અનુયાયી એટલે સંપ્રદાયનો અનુયાયી. ધાર્મિક એટલે અહિંસાવ્રતનો આરાધક, સંપ્રદાયનો અનુયાયી શોષણ પણ કરી શકે છે, ક્રૂર વ્યવહાર પણ કરી શકે છે, બીજાઓ પ્રત્યે નિર્મમ પણ બની શકે છે. ધાર્મિક વ્યક્તિ આવું કરી શકતી નથી. એવો આરોપ છે કે ધર્મના નામે ધરતી લોહિયાળ બનીછે. મોટાં મોટાં યુદ્ધો થયાં છે, હિંસા અને હત્યાઓ થયાં છે. આ આરોપ યથાર્થ ઉપર આધારિત નથી. મહાવીરનું અહિંસા-દર્શન 62 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy